Rajkot: માવઠાના કારણે ધોરાજીમાં ઘઉંના પાકને વ્યાપક નુકસાન, ઉત્પાદનમાં 60 ટકાનો ઘટાડો

ખેડૂતોએ જરૂરિયાત મુજબ પાકના વાવેતરમાં ફેરબદલી કરી છે. પરંતુ તેમાં પણ યોગ્ય ઉત્પાદન નહિ મળવાની શક્યતા છે. ખેડૂતો સરકાર પાસે સારા ટેકાના ભાવની અપેક્ષા રાખી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 8:36 AM

ખેડૂતો પર એક પછી એક કુદરતી આફતો આવતી જ રહે છે. આ વર્ષે ખેડૂતોને અનેક વાર થયેલા માવઠાના કારણે ખેતીમાં નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. ખાસ કરીને રાજકો(Rajkot)ના ધોરાજી (Dhoraji)માં શિયાળાના વાવેતર પર માવઠાના મારના કારણે ખેડૂતો (Farmers) ફરી મુશ્કેલીમાં મુકાયા છે.

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગત ચોમાસામાં થયેલી અતિ વૃષ્ટિએ કપાસનો પાક બગડ્યો હતો. જેને લઈને આ વર્ષે રવિ સીઝનમાં ખેડૂતોએ કપાસન ઘઉં, ચણા, જીરુંના પાકનું વાવેતર કર્યુ છે. ચોમાસામાં થયેલ નુકસાનની ભરપાઈ આ શિયાળામાં થાય તેવી ખેડૂતોને આશા હતી. પરંતુ, આ વર્ષે શિયાળામાં થયેલા માવઠાને કારણે ખેડૂતોને ફરીથી સહન કરવાનો વારો આવ્યો છે.

રાજકોટના ધોરાજી તાલુકાના ખેડૂતોને કમોસમી વરસાદના કારણે ઘઉંના પાકમાં વ્યાપક નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ છે. જયારે ચણા અને જીરુંના પાકને સતત થઇ રહેલ ઝાકળથી ખૂબ મોટુ નુકસાન થયું છે. માવઠાના કારણે ખેડૂતોને પાકના ઉત્પાદનમાં 60 ટકાનો ઘટાડો આવી શકે છે. ત્યારે ઘઉંની ટેકાના ભાવે ખરીદી જલ્દી જ શરૂ થાય અને પૂરતા ટેકાના ભાવ મળે તેવી ખેડૂતોએ સરકાર પાસે માગ કરી છે.ચાલુ વર્ષે ધોરાજી તાલુકામાં ઘઉંના વાવેતરમાં મોટો ઘટાડો નોંધાયો છે. ગત વર્ષ કરતા આ વર્ષે 7 હજાર હેક્ટરની જમીનમાં ઘઉંનું વાવેતર થયુ છે. બીજી તરફ ચાલુ વર્ષે જીરૂનું વાવેતર વધ્યું છે.

ખેડૂતોએ જરૂરિયાત મુજબ પાકના વાવેતરમાં ફેરબદલી કરી છે. પરંતુ તેમાં પણ યોગ્ય ઉત્પાદન નહિ મળવાની શક્યતા છે. ખેડૂતો સરકાર પાસે સારા ટેકાના ભાવની અપેક્ષા રાખી રહ્યા છે, ત્યારે સરકાર આવા ખેડુત માટે યોગ્ય કરે તે જરૂરી છે.

આ પણ વાંચો-

રાજ્યમાં એક મહિના બાદ આજથી ધોરણ-1થી 9ના વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ શરુ, કોરોના ગાઈડલાઈન સાથે ખુલશે શાળાઓ

આ પણ વાંચો-

Rajkot: રીબડા નજીક પાણીના વાલ્વમાં ટેક્નિકલ ખામી સર્જાતા પાણી કાપ, 6 વોર્ડની 77 સોસાયટીમાં પાણી વિતરણ બંધ

Follow Us:
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">