Rajkot: રીબડા નજીક પાણીના વાલ્વમાં ટેક્નિકલ ખામી સર્જાતા પાણી કાપ, 6 વોર્ડની 77 સોસાયટીમાં પાણી વિતરણ બંધ

રાજકોટના વોર્ડ નં.7, 11, 12, 13, 14, અને 17ના આંશિક ભાગોમાં પાણી વિતરણ બંધ રહેશે. આ છ વોર્ડમાં ભક્તિનગર, ઢેબર રોડ, ગોંડલ રોડ, લોહાનગર, હસનવાડી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 7:40 AM

ભર શિયાળે રાજકોટવાસીઓને પાણી માટે વલખાં મારવા પડી શકે છે. ભર શિયાળે શહેરીજનોને તરસ્યાં રહેવું પડી શકે છે. કારણ કે આજે રાજકોટ (Rajkot)ના 6 વોર્ડમાં પાણી કાપ (Water Cut )રહેશે..પાણી કાપને લઇ 6 વોર્ડની 77 સોસાયટીઓમાં આજે પાણી નહીં મળે.

રીબડા નજીક પાણીના વાલ્વમાં ટેક્નિકલ ખામી

રાજકોટ મહાનગર પાલિકાની યાદીમાં જણાવ્યા મુજબ ભાદર યોજના આધારીત ગોડલ પમ્પીંગ સ્ટેશન અને રીબડા ફિલ્ટર પ્લાન્ટ વચ્ચે 900 એમ.એમની મેઇન લાઇન પરના એરવાલ્વ ડેમેજ થયો છે. રીબડા નજીક પાણીના વાલ્વમાં ટેક્નિકલ ખામી સર્જાઇ છે જેના રીપેરીંગની કામગીરી માટે 7 ફેબ્રુઆરી એટલે કે આજે ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે. ભર શિયાળે લોકોએ પાણી વગર રહેવુ પડશે.

6 વોર્ડમાં પાણી નહીં મળે

રાજકોટના વોર્ડ નં.7, 11, 12, 13, 14, અને 17ના આંશિક ભાગોમાં પાણી વિતરણ બંધ રહેશે. આ છ વોર્ડમાં ભક્તિનગર, ઢેબર રોડ, ગોંડલ રોડ, લોહાનગર, હસનવાડી સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. રાજકોટમાં પહેલેથી લોકોને પાણીની સમસ્યા રહે છે. તેમાં પણ વાંરવાર પાણીકાપના પગલે લોકોને વધુ હાલાકી સહન કરવી પડે છે. ત્યારે ફરીએક વાર રિપેરિંગના નામ પર રાજકોટની જનતાને પાણી વિતરણ કરવામાં નહીં આવે.

આ પણ  વાંચો-

Junagadh:પૂજ્ય કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા, લાંબા સમયથી બીમાર હતા, અંતિમ દર્શન કરવા અનુયાયીઓ ઉમટી પડ્યા

આ પણ વાંચો-

Letter bomb-સોની વેપારીની વ્યથા, કલાકો સુધી ક્રાઇમ બ્રાન્ચમાં બેસાડી રાખતા, પીઆઇએ લાફા ઝીંક્યા

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">