AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે વતનની મુલાકાતે, દાહોદ અને પંચમહાલના ઉમેદવાર માટે કરશે પ્રચાર- Video

ગુજરાત સ્થાપના દિવસે 1લી મેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતનની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ દાહોદ અને પંચમહાલના ભાજપ ઉમેદવાર માટે પ્રચાર કરશે. લીમખેડામાં તેઓ ચૂંટણી સભા સંબોધવાના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2024 | 9:12 PM
Share

લોકસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. 7મી મે એ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે તમામ 26 પૈકી 25 બેઠકો પર મતદાન થવાનુ છે ત્યારે ગુજરાતના ચૂંટણી રણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચાર અર્થે આવશે. પીએમ મોદી 1લી મેએ ગુજરાત સ્થાપના દિવસે દાહોદમાં ચૂંટણી રેલી સંબોધિત કરશે. લીમખેડામાં પીએમ મોદીની જનસભાનું આયોજન કરાયુ છે.

પીએમ મોદી પંચમહાલ અને દાહોદના ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરશે. પીએમ મોદી પંચમહાલ લોકસભના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ અને દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર માટે ચૂંટણી પ્રચાર કરશે. વડાપ્રધાનના આગમનને પગલે જિલ્લા ભાજપ અને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરૂ દેવાઈ છે. 1લી મેએ ગુજરાત સ્થાપના દિવસ હોવાથી પીએમ મોદીની આ મુલાકાત ઘણી સૂચક ગણાઈ રહી છે.

આ અગાઉ પીએમ મોદી 12 માર્ચે અમદાવાદ ગાંધી આશ્રમના ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત આવ્યા હતા. આ દરમિયાન તેમણે હજારો કરોડના વિકાસકામોની ભેટ, દ્રારકા, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગરને આપી હતી.

આ પણ વાંચો: સુરત લોકસભા બેઠક મુદ્દે રાહુલ ગાંધીએ ભાજપ સરકારને ઘેરી, તાનાશાહીની અસલી સૂરત ફરી એકવાર દેશની સામે, – નામ લીધા વિના ટ્વીટથી પ્રહાર

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
ગાંધીધામમાં રાત્રે આકાશમાં અજાણી લાઈટથી સર્જાયું કુતૂહલ
"આપણુ વર્ચસ્વ બતાવવા માટે આપણી એક્તા હોવા જરૂરી છે" - નીતિન પટેલ
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટના ધોરાજીમાં પંછીપીર વાડી વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
g clip-path="url(#clip0_868_265)">