Porbandar: માછીમારોને દરિયામાં ન જવા હવામાન વિભાગની સૂચના, ફિશરીઝ વિભાગે માછીમારોના એસોસિયેશન સાથે કર્યો સંપર્ક

પોરબંદરના માછીમારોને (Fishermen) દરિયામાં ન જવાની હવામાન વિભાગે સૂચના આપી છે. ગુજરાતના દરિયાકિનારે ઉત્તર દરિયાકાંઠે હવાનું દબાણ સર્જાતા આગામી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના આપી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2022 | 3:40 PM

Porbandar: પોરબંદરના માછીમારોને (Fishermen) દરિયામાં ન જવાની હવામાન વિભાગે સૂચના આપી છે. ગુજરાતના દરિયાકિનારે ઉત્તર દરિયાકાંઠે હવાનું દબાણ સર્જાતા આગામી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા જવાની સૂચના આપી છે. સાથે સ્થાનિક વહીવટી તંત્રને પણ ચેતવણી આપી છે. આગાહીના પગલે ફિશરીઝ વિભાગે માછીમારોના એસોસિયેશન સાથે સંપર્ક કર્યો હતો. જયાં દરિયામાંથી બોટ પરત લાવવાની કાર્યવાહી હાથ ધરવા કલેકટર અને ફિશરિઝ તંત્રને જરૂરી સૂચના આપી હતી.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

હવામાન વિભાગની આગાહી મુજબ હાલમાં દક્ષિણ પશ્ચિમ તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે. તેમજ હાલમાં પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત કેરળમાં આગામી ત્રણ દિવસમાં ચોમાસું બેસવાની આગાહી કરી છે.રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે..હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર અરેબિયન સાગરમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.

જેના પગલે ત્રણ દિવસ એટલે કે  આજથી ત્રણ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ આપવામાં આવી છે.રાજસ્થાનમાં લો પ્રેશરના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે..જો કે આ દરમિયાન 10 થી 20 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફુંકાઇ શકે છે.. તો બીજી તરફ હાલ રાજ્યમાં ગરમી યથાવત રહેશે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગના નવા સંકેતો અનુસાર પશ્ચિમી પવનો દક્ષિણ અરબી સમુદ્રના નીચલા સ્તરે વધુ તીવ્ર બન્યા છે. સેટેલાઇટ તસવીરો મુજબ કેરળના તટ અને તેની નજીકના દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં વાદળછાયું વાતાવરણ છે. જેથી, કેરળમાં ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. મહત્વનું છે કે, આ પહેલા હવામાન વિભાગે કેરળમાં 27 મેના રોજ ચોમાસાની શરૂઆત થવાની આગાહી કરી હતી

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">