પીએમ મોદી શનિવારે સરદારધામ ભવનનું ઉદ્ઘાટન કરશે, ગુજરાતના મુખ્યમંત્રી પણ હાજરી આપશે

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા શુક્રવારે પ્રકાશિત કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 7:49 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) શનિવારે (11 સપ્ટેમ્બર) વીડિયો કોન્ફરન્સ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં સરદારધામ ભવનનું ઉદ્ઘાટન કરશે અને ભૂમિપૂજન કરીને પ્રોજેક્ટના બીજા તબક્કાનો શિલાન્યાસ પણ કરશે. 200 કરોડના ખર્ચે તૈયાર થયેલ સરદારભવનનું લોકાર્પણ અને 200 કરોડના ખર્ચે કન્યા છાત્રાલય તૈયાર થશે જેનું પીએમ મોદી ભુમિપુજન કરશે.

2000 છોકરીઓ માટે છાત્રાલયની સુવિધા:
પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા શુક્રવારે પ્રકાશિત કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે. પ્રોજેક્ટના બીજા તબક્કામાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવાની છે, તેમાં 2000 છોકરીઓ માટે હોસ્ટેલની સુવિધા હશે.

અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે વિશ્વ પાટીદાર સમાજ “સરદારધામ”નું નિર્માણ થયું છે. આ સરદાર ધામ અંદાજીત રૂ.200 કરોડના ખર્ચે 11,670 સ્ક્વેર મિટરના પ્લોટમાં આશરે 7 લાખ સ્ક્વેર ફૂટમાં નિર્માણ થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરદારધામનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ ઉપરાંત બાજુની જમીનમાં જ રૂ. 200 કરોડના ખર્ચે 2500 દીકરીઓ માટે કન્યા છાત્રાલય બનાવાશે. જેનું પણ વડાપ્રધાન વર્ચ્યુઅલ ભૂમિ પૂજન કરશે.

સરદારધામના ઉપપ્રમુખે પત્રકારોને જણાવ્યું હતું કે સરદારધામ પાંચ લક્ષ્યબિંદુઓ પર ચાલે છે. સરદારધામમાં 450 વ્યક્તિઓની ક્ષમતાનું ઓડીટોરીયમ અને 1 હજાર વ્યક્તિઓની ક્ષમતા સાથેના 2 હોલ પણ છે. સરદારધામ ભવનના બેઝમેન્ટ 1 અને 2માં 450થી વધુ કારનું પાર્કિંગ, 50થી વધુ થ્રી-સ્ટાર રૂમો ધરાવતું ટ્રસ્ટી વિશ્રામ ગૃહની વ્યવસ્થા છે.

સમાજ ઉત્થાનની અલગ અલગ મહેસૂલી માર્ગદર્શન, કાનુની માર્ગદર્શન, સમાજ સુરક્ષા વિગેરે પ્રવૃત્તિઓ માટે 8થી વધુ કાર્યાલયો પણ કાર્યરત રહેશે અને આ સંકુલ પ્રવેશ દ્વારમાં સરદાર સાહેબની 50 ફૂટ ઉંચી કાંસ્યની વિશાળ પ્રતિમા 3.50 કરોડના ખર્ચે સ્થાપિત કરવામાં આવી છે.

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">