Breaking News : પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પર મંડપ તૂટ્યો, 1નું મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત, જુઓ Video
પોરબંદર શહેરમાં યોજાયેલા રામદેવપીર ઉત્સવમાં એક દુઃખદ ઘટના બની છે. ચોપાટી ગ્રાઉન્ડમાં મંડપના નિર્માણ દરમિયાન એક ગંભીર દુર્ઘટના ઘટી છે. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે.
પોરબંદર શહેરમાં યોજાયેલા રામદેવપીર ઉત્સવમાં એક દુઃખદ ઘટના બની છે. ચોપાટી ગ્રાઉન્ડમાં મંડપના નિર્માણ દરમિયાન એક ગંભીર દુર્ઘટના ઘટી છે. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, મંડપનું બાંધકામ ચાલુ હતું ત્યારે અચાનક એક દોરી તૂટી ગઈ હતી, જેના કારણે સમગ્ર મંડપ ધરાશાયી થઈ ગયો હતો.
દુર્ઘટનામાં 1નું મોત
આ ઘટનામાં સરકારી હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડનું મૃત્યુ થયું છે. મૃતકનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત ઘટનામાં 10 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
પોલીસે હાથ ધરી તપાસ
પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને ઘટનાના કારણો શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દુર્ઘટનાથી રામદેવપીર ઉત્સવમાં શોકનું વાતાવરણ છવાયું છે. પ્રશાસને ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડયા છે. આ ઘટનાના કારણે મંડપના નિર્માણમાં કોઈ બેદરકારી થઈ હતી કે કેમ તેની તપાસ પણ કરવામાં આવશે.