નવસારીમાં વાતાવરણમાં અચાનકમાં પલટો આવ્યો છે. નવસારીના ગણદેવી બીલીમોરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ભારે ઉકળાટ બાદ ધીમીધારે વરસાદ વરસતા ગરમીથી રાહત મળી શકે છે. જો કે વરસાદ આવતા ખેડૂતોએ પણ રાહતનો શ્વાસનો લીધો છે.બીજી તરફ સુરત અને વલસાડમાં પણ વરસાદ વરસ્યો છે.
બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના શહેરોમાં હળવા ઝાપટા પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 8 અને 9મી જૂને પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. બીજી તરફ અમદાવાદમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે.