Navsari Rain : ભારે વરસાદના કારણે અમદાવાદ-મુંબઈ રેલ વ્યવહાર ખોરવાયો, આ રુટ પર જતાં પહેલા કરો ચેક

|

Jul 02, 2024 | 9:55 AM

Navsari surat Rain update : ચોમાસાની સિઝન ચાલી રહી છે. સાઉથ ગુજરાતમાં ઠેર-ઠેર જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આવી પરિસ્થિતિને લઈને લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે એવા પણ ન્યૂઝ મળી રહ્યા છે કે ભારે વરસાદને પગલે અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલ માર્ગ ખોરવાયો છે.

Rain Update : સતત વરસતા વરસાદને લીધે ઘણી જગ્યાએ જનજીવન ખોરવાઈ ગયું છે. દિવસે ને દિવસે વરસાદ વધતો જ જાય છે. ઠેર-ઠેર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારીથી એવા ન્યૂઝ મળી રહ્યા છે કે બે સ્ટેશનોની વચ્ચેનો રેલવે માર્ગ અમુક કારણોને લીધે ખોરવાઈ ગયો છે.

વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ રોકી રાખવામાં આવી

મરોલી અને સચિન રેલવે સ્ટેશનની વચ્ચે પતરા ઉડી રેલવે ટ્રેક પર પડતાં અમદાવાદ તરફ જતી અનેક ટ્રેનો મોડી થઈ છે. કેમ કે વધારે વરસાદ રેલવે ને પણ ભારે નુકસાન કરી શકે છે.

વલસાડથી વડનગર તરફ જતી વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસને નવસારી રેલવે સ્ટેશન ઉપર જ રોકવામાં આવી છે. ટ્રેન પોતાના નિર્ધારિત સમયથી દોઢ કલાક મોડી નવસારી રેલવે સ્ટેશન ઉપરથી રવાના થઈ છે.

અપડાઉન કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા

મરોલી અને સચિન રેલવે સ્ટેશનની ટ્રેક પર પતરા પડવાની ઘટના બનતા મુંબઈ અને અમદાવાદ વચ્ચેના રેલ વ્યવહાર પર અસર પડી છે. ટ્રેન મોડી ઉપાડતા અપડાઉન કરતા નોકરીયાત વર્ગોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અપડાઉન કરતા લોકો સમયસર ઓફિસે કે ઘરે પહોંચી ગ

Next Video