NARMADA : SOU ખાતે પ્રવાસીઓની ભીડ ઉમટી, શનિ-રવિ બે દિવસમાં 50 હજાર લોકોની મુલાકાત
ગુજરાતના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળો પર હાલ લોકોની ભીડ ઉમટી રહી છે. જેમાં નર્મદામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે શનિવાર અને રવિવારની રજામાં 50 હજાર કરતા વધુ પ્રવાસી પહોંચ્યા હતા.
NARMADA : કોરોનાની બીજી લહેર હળવી બનતા જ પ્રવાસન સ્થળો પર લોકોની ભીડ જામી છે. ગુજરાતના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળો પર હાલ લોકોની ભીડ ઉમટી રહી છે. જેમાં નર્મદામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે શનિવાર અને રવિવારની રજામાં 50 હજાર કરતા વધુ પ્રવાસી પહોંચ્યા હતા. વરસાદી સિઝનમાં સાતપુડા અને વિધ્યાંચલની ગિરિમાળા વચ્ચે સરદારની વિરાટ પ્રતિમા અને અન્ય આકર્ષણ જોવા લોકો પહોંચ્યા હતા. આ ચોમાસામાં અહીં કુદરત સોળે કળાએ ખિલી ઉઠે છે. જો કે મોટાભાગના પર્યટકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કર્યું. તો વહીવટી તંત્ર દ્વારા થર્મલ ગન દ્વારા તપાસ અને સેનેટાઈઝેશનની યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.