નર્મદા : રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન 5000 ઘરમાં રોશનીના સંકલ્પ સાથે દીવડાઓનું વિતરણ કરાયું, જુઓ વીડિયો
નર્મદા : આગામી 22 મી જાન્યુઆરીના રોજ આયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવા જઈ રહ્યો છે. રાજપીપળા શહેરના 5 હજાર ઘરોમાં આ અવસરે દીવડા પ્રગટે તે માટે એક દંપતિએ વિનામુલ્યે દીવાડાઓનું વિતરણ શરૂ કર્યું છે.
નર્મદા : આગામી 22 મી જાન્યુઆરીના રોજ આયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવા જઈ રહ્યો છે. રાજપીપળા શહેરના 5 હજાર ઘરોમાં આ અવસરે દીવડા પ્રગટે તે માટે એક દંપતિએ વિનામુલ્યે દીવાડાઓનું વિતરણ શરૂ કર્યું છે.

રાજપીપળાના દંપતીએ સંકલ્પ લીધો છે કે 20 તારીખ સુધીમાં 10,000 થી વધુ લોકોને બે દીવડા ભેટ સ્વરૂપે આપશે. જેઓ અત્યાર સુધી 5000થી વધુ દીવડાઓનું વિતરણ કરી ચુક્યા છે. ભગવાન શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આયોધ્યા રોશનીથી ઝગમગ થશે ત્યારે નર્મદા જિલ્લા ના રાજપીપલા શહેરમાં પણ ઘરેઘરે દીવડા પ્રગટાવી દિવાળી જેવો ઉત્સવ અને ભક્તિમય વાતાવરણ સર્જવા પ્રયાસ કરાઈ રહ્યો છે.
Input Credit : Vishal Pathak, Narmada
