Monsoon 2023 : કાંસ ઉપરના બાંધકામને કારણે નવસારીમાં ભરાયા વરસાદી પાણી, જુઓ Video

નવસારીમાં ભારે વરસાદે તારાજી વેરી છે. વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. કુદરતી કાંસ પૂરી દેતા પાણી ભરાયાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરાયા છે. નગરપાલિકાએ કાંસ પર બાંધકામ કરાવ્યું અને બાંધકામને કારણે કાંસમાંથી પાણીમાં અવરોધ થતો હોવાનો આક્ષેપ કરાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2023 | 5:44 PM

Monsoon 2023: નવસારી શહેરમાં ગુરૂવારની રાત્રે પડેલા ભારે વરસાદને પગલે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અમુક વિસ્તારોમાં તો કેડસમા પાણી ભરાઈ જવાને કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગાયકવાડ સમયથી કુદરતી કાંસમાંથી વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા છે.

પરંતુ નગરપાલિકા તરફથી આ કુદરતી કાંસ પર 10 કરોડ રૂપિયાના ખર્ચે બાંધકામ કરી દેવામાં આવ્યું છે. જેનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે કુદરતી કાંસ પર થયેલા બાંધકામને કારણે શહેરભરમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે.

આ પણ વાંચો : નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદી ગાંડીતૂર, સ્થિતિ પર સતત નજર હોવાનો કલેક્ટરનો દાવો

બીજી તરફ નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખનું કહેવું છે કે ગુરૂવારની રાત્રે એકસાથે 11 ઈંચ વરસાદ ખાબક્યો તેને કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. પ્રમુખના દાવા પ્રમાણે નગરપાલિકા તરફથી જે કામગીરી કરવામાં આવી છે, તે યોગ્ય જ છે.

નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">