અરવલ્લીમાં નાગરિક પૂરવઠા પ્રધાને કમળ વોલ પેઈન્ટિંગ વડે ભાજપનો ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરાવ્યો
અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા સમગ્ર રાજ્યની જેમ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા. મોડાસાના ધારાસભ્ય અને અન્ન નાગરિક પૂરવઠા રાજ્યકક્ષા પ્રધાન ભીખુસિંહ પરમારે પ્રચારનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે રાજ્યમાં મંગળવારે એક સાથે પ્રચારની શરુઆત કરાવતા કમળના ચિહ્નનું વોલ પેન્ટિંગ કરાવ્યુ હતુ.
સમગ્ર ગુજરાતમાં એક સાથે મંગળવારે બપોરે બે વાગ્યે ભારતીય જનતા પાર્ટી ના કમળના ચિન્હનું કાર્યકરો દ્વારા, વોલ પેન્ટિંગ કરી આગામી લોકસભાની ચૂંટણી પ્રચારના કાર્યકરો દ્વારા શ્રી ગણેશ કરવામાં આવ્યા છે.જેના ભાગ રૂપે મોડાસા શહેરના જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતેથી પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: વાઇબ્રન્ટ અને ઉત્તરાયણ પર્વ પૂર્ણ હવે અધિકારીઓની બદલીઓ કયારે થશે? શરુ થઈ ચર્ચા
મોડાસાના ધારાસભ્ય અને અન્ન નાગરિક પૂરવઠા રાજ્યકક્ષા પ્રધાને ભીખુસિંહ પરમારે વોલ પેઈન્ટિંગ કરાવીને પ્રચારનો પ્રારંભ કરાવ્યો હતો. ભિલોડાના ધારાસભ્ય સહિત કાર્યકરો એ કમળ ના ચિહ્નનું વોલ પેન્ટિંગ કર્યુ હતુ. આમ ભાજપે હવે સ્થાનિક સ્તરે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દીધી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 16, 2024 05:47 PM
Latest Videos
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા
