અમદાવાદ શહેરમાં ફરી એકવાર વાહનોને નુક્સાન પહોંચાડનારા અસામાજીક તત્વોનો આતંક વર્તાઈ રહ્યો છે. પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય એમ તેઓ આતંક મચાવીને સ્થાનિકોને પરેશાન કરી રહ્યા છે. પોલીસ દ્વારા અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ સ્થાનિક વાહનચાલકોમાં વર્તાઈ રહી છે. રીક્ષા ચાલકો માંડ ઘર ચલાવતા હોય એમને પણ નુક્સાન પહોંચાડ્યા છે.
અસામાજીક તત્વોએ આંબેડકરનગર અને શક્તિનગરમાં અસામાજીક તત્વોએ બેફામ બન્યા છે. આ વિસ્તારમાં રસ્તા પર પાર્ક કરેલા કે ઘર આગળ પાર્ક કરેલા વાહનોના કાચ ફોડીને નુક્સાન પહોંચાડવામાં આવ્યુ છે. વાહનોના કાચ ફોડવા સહિતના નુક્સાન કરવાને લઈને સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:23 am, Fri, 26 July 24