AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંચમહાલ : પાક નુકસાની મુજબ ખેડૂતોને વળતર ચૂકવાશે, મંત્રી બચુ ખાબડનું નિવેદન

પંચમહાલ : પાક નુકસાની મુજબ ખેડૂતોને વળતર ચૂકવાશે, મંત્રી બચુ ખાબડનું નિવેદન

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2023 | 5:28 PM
Share

મોરવા હડફ વિધાનસભાના સ્નેહમિલન કાર્યક્રમમાં બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે, વહેલી તકે પાક નુકસાનીના સરવે કરી વળતર આપવામાં આવશે. ગુજરાતમાં હવામાન ખાતાની આગાહીને લઈને વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી મોટું નુકશાન ખેડૂતોને થયું છે.

રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડે માવઠાથી પાક નુકસાની મુદ્દે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે સંકટ સમયે ભાજપ સરકાર ખેડૂતોની પડખે ઉભી છે, પંચમહાલ જિલ્લાની મુલાકાત દરમિયાન બચુ ખાબડે, વહેલી તકે પાક નુકસાનીના સરવેની વાત કરી હતી અને નુકસાની મુજબ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે તેમ જણાવ્યું હતું. બચુ ખાબડે દાવો કર્યો કે ભાજપ સરકાર પહેલાથી જ ખેડૂતોને ચિંતા કરતી આવી છે.

આ પણ વાંચો પંચમહાલ : ભાજપના મહિલા ધારાસભ્ય થયા ભાવુક, ભાષણ દરમિયાન રડી પડ્યા, જુઓ વીડિયો

મોરવા હડફ વિધાનસભાના સ્નેહમિલન કાર્યક્રમમાં બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે, વહેલી તકે પાક નુકસાનીના સરવે કરી વળતર આપવામાં આવશે. ગુજરાતમાં હવામાન ખાતાની આગાહીને લઈને વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી મોટું નુકશાન ખેડૂતોને થયું છે. કમોસમી વરસાદથી ખેતીના ઉભા પાકને વ્યાપક નુકસાન થયુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">