Gujarat weather : રાજ્યમાં આગામી 5 દિવસ આગ ઝરતી ગરમીની આગાહી, કેટલાક શહેરોમાં 44 ડિગ્રી સુધી પહોચશે પારો, જુઓ Video

સામાન્ય રીતે અમદાવાદમાં માર્ચ મહિનાથી તાપમાન ઉચું જવા લાગતું હોય છે પરંતુ આ વર્ષે વારંવાર ગુજરાતના વિવિધ જિલ્લામાં માવઠા થવાને કારણે એપ્રિલ માસમાં તાપમાનનો પારો ઉંચો જવાની શરૂઆત થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2023 | 8:56 AM

રાજ્યમાં કમોસમી વરસાદ બાદ હવે કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે. અને હજુ તાપમાનનો પારો ઉંચે જઈ શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે. એમાં પણ અમદાવાદમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 14 અને 15 એપ્રિલે યલો એલર્ટ અપાયું છે. 41 ડિગ્રી ઉપર તાપમાનનો પારો જાય છે. ત્યારે યલો એલર્ટ અપાય છે. જો કે, અમદાવાદમાં 40 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાતું રહે છે.

આ પણ વાંચો : Breaking News: Gujarat weather : યલો એલર્ટની આગાહી! ગરમીનો પારો વધી શકે છે? જાણો શું છે હવામાન વિભાગની આગાહી

ગઈકાલે પણ અમદાવાદમાં તાપમાનનો પારો 39 ડિગ્રી આસપાસ નોંધાયો હતું. એક સંભાવના એવી પણ વ્યક્ત કરાઈ હતી કે, એપ્રિલ મહિનાથી જ રાજ્યમાં કાળઝાળ ગરમી શરૂ થશે. 20 એપ્રિલથી આગ ઝરતી ગરમી પડવાની શક્યતા છે. કેટલાક શહેરોમાં 44 ડિગ્રી સુધી પણ પારો પહોંચી શકે છે. તો એપ્રિલ મહિનાના અંતમાં ઘરમાંથી બહાર નીકળવું પણ અઘરું પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. કેટલાક સ્થળે 50 ડિગ્રી સુધી પારો પહોંચવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં કાળઝાળ ગરમીની શરુઆત

આ અગાઉ રાજ્યના 7 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું હતુ. જેમાં સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું હતુ. અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતુ. એવું પ્રથમ વાર બન્યું હતુ કે 1 માર્ચથી 10 એપ્રિલ દરમિયાન અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું હતુ. આ પહેલા વર્ષ 2020માં 5 એપ્રિલે 40.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં ગરમ સૂકા પવનોની અસરથી ગરમીનું પ્રમાણ વધ્યું હતુ. અન્ય શહેરોની વાત કરીએ તો, ગાંધીનગરમાં 40.5, અમરેલીમાં 40.4, વડોદરામાં 40.2, સુરત અને દાદરાનગરહવેલીમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">