Mehsana : પાટીદાર યુવાનોના સંગઠન એસપીજીમાં હોદ્દેદારોની નિમણૂકને લઇને સર્જાયો વિવાદ

એસપીજીના પ્રમુખ લાલજી પટેલે દાવો કર્યો કે અગાઉ એટલે કે પૂર્વિન પટેલ દ્વારા ખોટી રીતે હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે.. તેમાં જેમની નિમણૂક કરાઈ છે તેઓ પાસે એસપીજીનું સભ્યપદ પણ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 6:39 PM

મહેસાણામાં(Mehsana) સરદાર પટેલ ગ્રૂપમાં(SPG) હોદ્દેદારોની નિમણૂકને લઈ વિવાદ સર્જાયો છે.. એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ(Lalji Patel)  અને પ્રવક્તા પૂર્વીન પટેલ આમને-સામને આવી ગયા છે. પહેલા પૂર્વીન પટેલે SPGના હોદ્દેદારોની નિમણૂક કરી. જે બાદ લાલજી પટેલે નવા હોદ્દેદારોની નિમણૂક કરી છે. લાલજી પટેલે દાવો કર્યો કે અગાઉ એટલે કે પૂર્વિન પટેલ દ્વારા ખોટી રીતે હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે. તેમાં જેમની નિમણૂક કરાઈ છે તેઓ પાસે એસપીજીનું સભ્યપદ પણ નથી.. એટલું જ નહીં કોઈપણ ઠરાવ વિના આ નિમણૂક કરાઈ હતી. સાથે જ લાલજી પટેલે જાહેરાત કરી તે તેમણે કરેલી હોદ્દેદારોની નવી નિમણૂક જ માન્ય ગણાશે.તો બીજી તરફ પૂર્વીન પટેલે લાલજી પટેલે કરેલી નિમણૂકને અમાન્ય ગણાવી છે.

ઉલ્લેખનીય છે કે. ગુજરાતમાં પાટીદાર યુવાનોના સંગઠન એસપીજીમાં પણ હવે ભાગલા પડયાની બાબત સામે આવી છે. જેમાં પાટીદાર અનામત આંદોલન સમયે સૌથી વધુ સક્રિય SPG અને પાસ હતું. જે પૈકી એસપીજી ગ્રુપમાં ઘણા લાંબા સમય બાદ અંદરો અંદર વિખવાદ સર્જાયો છે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે પ્રેસ નોટ જાહેર કરીને ખુલાસો કરવાની ફરજ પડી હતી.

આ સમગ્ર બાબત પર નજર કરીએ તો મહેસાણાથી સમગ્ર ગુજરાતમાં કાર્યરત એવા સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજી ના અધ્યક્ષ લાલજી પટેલે આજે એક પ્રેસ નોટ જાહેર કરી છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે, અત્યારેએસપીજી પરિવારના મેમ્બરોને તોડવા અને એસપીજી સંગઠન ને રાજકીય હાથો બનાવવા કેટલાક લોકો પ્રયત્ન કરી રહ્યા છે. અને સોશિયલ મીડિયામાં spg ના બનાવટી લેટર પેડ નો ઉપયોગ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Anand : બોરસદ મામલતદાર કચેરીમાં કોરોના બ્લાસ્ટ, 11 કર્મચારી કોરોના પોઝિટિવ

આ પણ વાંચો :  Surat: બાળકોના માતા-પિતા ચેતી જજો, પલસાણામાં એક વર્ષની બાળકીને કોરોના ભરખી ગયો

Follow Us:
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">