Surat: બાળકોના માતા-પિતા ચેતી જજો, પલસાણામાં એક વર્ષની બાળકીને કોરોના ભરખી ગયો

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. વધતા કેસો વચ્ચે બાળકોને પણ કોરોનાનું સંક્રમણ થતુ હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. જે વાલીઓ અને નાના બાળકોના માતા-પિતા માટે ચિંતાનો વિષય બન્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 3:09 PM

ગુજરાતમાં કોરોનાના કેસ (corona case) સતત વધી રહ્યા છે. વધતા કેસો વચ્ચે બાળકો (children)ને પણ કોરોનાનું સંક્રમણ થતુ હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. જે વાલીઓ અને નાના બાળકોના માતા-પિતા માટે ચિંતાનો વિષય બન્યો છે. સુરત (Surat)માં પણ વધતા કેસ વચ્ચે એક વર્ષની બાળકી સંક્રમિત થઇ હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ બાળકીનું મોત થયુ છે.

બાળકોના માતાપિતા માટે ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં એક વર્ષની બાળકીનું કોરોનાને કારણે મોત થયું છે. બાળકીના માતાપિતા કોરોના સંક્રમિત થયા હતા. જેના કારણે બાળકીને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. બાળકીની હાલત ગંભીર થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. બાદમા બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ છે.

બાળકીનું મોત થતા બાળકીના માતા-પિતા સહિત આસપાસના લોકોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે શાળાએ જતા વિદ્યાર્થીઓના વાલીઓની ચિંતામાં પણ વધારો થયો છે.

મહત્વનું છે કે ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધતા જઇ રહ્યા છે. ગુજરાતમાં 23 જાન્યુઆરીએ કોરોનાના નવા 16,617 કેસ નોંધાયા છે. તેમજ 19 લોકોના કોરોનાના લીધે મૃત્યુ થયા છે. ગુજરાતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસ 134837 એ પહોંચ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 11636 લોકોએ કોરોનાથી સાજા થયા છે.અમદાવાદ શહેરમાં 6191 કેસ નોંધાયા અને સર્વાધિક 6 દર્દીનાં મૃત્યુ નિપજ્યા તો વડોદરા શહેરમાં કોરોનાના નવા 2876 કેસ સામે આવ્યા. સુરત શહેરમાં કોરોનાના 1512 કેસ આવ્યા અને 2 દર્દીનાં મોત થયા છે.

આ પણ વાંચો-

રાજકોટ : લક્ષ્મીનગર અંડરબ્રિજનું CMના હસ્તે લોકાર્પણ, વિજય રૂપાણી અમારા હૃદયમાં છે : અરવિંદ રૈયાણી

આ પણ વાંચો-

Winter 2022: ગુજરાતીઓએ ફરી ઠુઠવાવા રહેવુ પડશે તૈયાર, રાજ્યમાં ત્રણ દિવસ કોલ્ડ વેવની આગાહી

 

Follow Us:
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">