Gujarati Video: Ahmedabad : AMCએ રખડતા ઢોર પર નિયત્રંણ માટેની નવી પોલિસી પર શું કહેવું છે માલધારીઓનું ? જુઓ આ Video

Ahmedabad: AMCની નવી પોલિસીનો માલધારી સમાજે વિરોધ કર્યો છે. માલધારી એકતા સમિતિનું કહેવું છે કે AMCએ જે નવી પોલિસી લાગુ કરવા માટેની જોગવાઈઓ જે નક્કી કરી છે, તેમાં ઢોર રાખવા માટે લાઇસન્સ લેવા સહિતની જે જોગવાઈઓ મૂકવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2023 | 2:24 PM

રાજ્યમાં રખડતાં ઢોરોના ત્રાસના કારણે રોજના અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે. રખડતાં ઢોરોના કારણે નાગરિકો હેરાન-પરેશાન થતા હોય છે. જેને લઈને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકાર દ્વારા રખડતાં ઢોર નિયંત્રણ કાયદો લાવવાના હતા. પરંતુ ચૂંટણીના કારણે આ કાયદાને મંજૂરી આપવામાં આવી નથી. સરકારે બનાવેલા કાયદામાં જે જોગવાઈઓ હતી. તેને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોલિસી તરીકે લાગુ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદ સિવિલમાં 9.34 કરોડના ખર્ચે અત્યાધુનિક MRI મશીનનું લોકાર્પણ, દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં થશે વધારો

નવી પોલિસી અંતર્ગત હવે શહેરમાં ઢોર રાખવા માટે પશુ માલિકોએ લાઇસન્સ લેવું પડશે અને પશુઓ રાખવા માટેની જગ્યા નક્કી કરવાની રહેશે. રખડતાં પશુઓને છોડાવવા, ઘાસચારો રાખવા બદલ દંડની રકમમાં પણ વધારો સૂચવવામાં આવ્યો છે.

AMCએ પકડેલા ઢોરોને પશુમાલિકો જો સમય મર્યાદામાં ન છોડે તો દૂધાળા, ખેતીલાયક અને અન્ય ઉપયોગી પશુઓને અમદાવાદ શહેરની બહાર ગામડામાં જાહેર હરાજીથી વેચી દેવામાં આવશે. અને તેનાથી આવક ઉભી કરવામાં આવશે. જો કે પોલિસીમાં માત્ર બેથી ત્રણ જ નવી બાબતોનો સમાવેશ કરાયો છે. રખડતાં ઢોર પકડવા અંગેની જે જૂની પોલિસી છે તે બાબતોને યથાવત્ રાખવામાં આવી છે.

મહાનગરોથી 30 કિલોમીટર દૂર માલધારી વસાહતો ઊભી કરવામાં આવે

તો આ પોલિસીનો માલધારી સમાજે વિરોધ કર્યો છે. માલધારી એકતા સમિતિનું કહેવું છે કે AMCએ જે નવી પોલિસી લાગુ કરવા માટેની જોગવાઈઓ જે નક્કી કરી છે, તેમાં ઢોર રાખવા માટે લાઇસન્સ લેવા સહિતની જે જોગવાઈઓ મૂકવામાં આવી છે. આ રીતે સરકાર કાયદાની આંટીઘૂંટીઓ કરવાની જગ્યાએ રાજ્યમાં આવેલાં મહાનગરોથી 30 કિલોમીટર દૂર માલધારી વસાહતો ઊભી કરવામાં આવે.

એટલું જ નહિં તેમનું કહેવું છે કે, સરકાર માલધારીઓ સાથે છેતરપિંડી ન કરે અને ડરનો ખોફ બતાવ્યા વગર સરકાર માલધારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. જેનાથી ઢોરના કારણે નિર્દોષ નાગરિકોને તકલીફ ન પડે અને માલધારીઓને રોજગારી મળતી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે. અન્યથા ભૂતકાળની જેમ આંદોલન કરીશું.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">