AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: Ahmedabad : AMCએ રખડતા ઢોર પર નિયત્રંણ માટેની નવી પોલિસી પર શું કહેવું છે માલધારીઓનું ? જુઓ આ Video

Gujarati Video: Ahmedabad : AMCએ રખડતા ઢોર પર નિયત્રંણ માટેની નવી પોલિસી પર શું કહેવું છે માલધારીઓનું ? જુઓ આ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2023 | 2:24 PM
Share

Ahmedabad: AMCની નવી પોલિસીનો માલધારી સમાજે વિરોધ કર્યો છે. માલધારી એકતા સમિતિનું કહેવું છે કે AMCએ જે નવી પોલિસી લાગુ કરવા માટેની જોગવાઈઓ જે નક્કી કરી છે, તેમાં ઢોર રાખવા માટે લાઇસન્સ લેવા સહિતની જે જોગવાઈઓ મૂકવામાં આવી છે.

રાજ્યમાં રખડતાં ઢોરોના ત્રાસના કારણે રોજના અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે. રખડતાં ઢોરોના કારણે નાગરિકો હેરાન-પરેશાન થતા હોય છે. જેને લઈને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સરકાર દ્વારા રખડતાં ઢોર નિયંત્રણ કાયદો લાવવાના હતા. પરંતુ ચૂંટણીના કારણે આ કાયદાને મંજૂરી આપવામાં આવી નથી. સરકારે બનાવેલા કાયદામાં જે જોગવાઈઓ હતી. તેને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોલિસી તરીકે લાગુ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદ સિવિલમાં 9.34 કરોડના ખર્ચે અત્યાધુનિક MRI મશીનનું લોકાર્પણ, દર્દીઓની આરોગ્ય સુખાકારીમાં થશે વધારો

નવી પોલિસી અંતર્ગત હવે શહેરમાં ઢોર રાખવા માટે પશુ માલિકોએ લાઇસન્સ લેવું પડશે અને પશુઓ રાખવા માટેની જગ્યા નક્કી કરવાની રહેશે. રખડતાં પશુઓને છોડાવવા, ઘાસચારો રાખવા બદલ દંડની રકમમાં પણ વધારો સૂચવવામાં આવ્યો છે.

AMCએ પકડેલા ઢોરોને પશુમાલિકો જો સમય મર્યાદામાં ન છોડે તો દૂધાળા, ખેતીલાયક અને અન્ય ઉપયોગી પશુઓને અમદાવાદ શહેરની બહાર ગામડામાં જાહેર હરાજીથી વેચી દેવામાં આવશે. અને તેનાથી આવક ઉભી કરવામાં આવશે. જો કે પોલિસીમાં માત્ર બેથી ત્રણ જ નવી બાબતોનો સમાવેશ કરાયો છે. રખડતાં ઢોર પકડવા અંગેની જે જૂની પોલિસી છે તે બાબતોને યથાવત્ રાખવામાં આવી છે.

મહાનગરોથી 30 કિલોમીટર દૂર માલધારી વસાહતો ઊભી કરવામાં આવે

તો આ પોલિસીનો માલધારી સમાજે વિરોધ કર્યો છે. માલધારી એકતા સમિતિનું કહેવું છે કે AMCએ જે નવી પોલિસી લાગુ કરવા માટેની જોગવાઈઓ જે નક્કી કરી છે, તેમાં ઢોર રાખવા માટે લાઇસન્સ લેવા સહિતની જે જોગવાઈઓ મૂકવામાં આવી છે. આ રીતે સરકાર કાયદાની આંટીઘૂંટીઓ કરવાની જગ્યાએ રાજ્યમાં આવેલાં મહાનગરોથી 30 કિલોમીટર દૂર માલધારી વસાહતો ઊભી કરવામાં આવે.

એટલું જ નહિં તેમનું કહેવું છે કે, સરકાર માલધારીઓ સાથે છેતરપિંડી ન કરે અને ડરનો ખોફ બતાવ્યા વગર સરકાર માલધારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. જેનાથી ઢોરના કારણે નિર્દોષ નાગરિકોને તકલીફ ન પડે અને માલધારીઓને રોજગારી મળતી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે. અન્યથા ભૂતકાળની જેમ આંદોલન કરીશું.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 13, 2023 12:52 PM
g clip-path="url(#clip0_868_265)">