સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ફરી એક વાર વિવાદમાં આવી છે. વીર નર્મદ યુનિવર્સિટીમાં કુમાર છાત્રાલય પાસેથી ખાલી દારુની બોટલ મળી આવી છે. હોસ્ટેલની આસપાસ સિગારેટના પણ બોક્સ મળી આવ્યા હોવાનું સામે આવ્યુ છે.
તેમજ યુનિવર્સિટીના વહીવટી ભવનથી માત્ર 100 મીટરના અંતરે દારુની બોટલ મળી આવી છે. જેના પગલે અનેક સવાલો ઉભા થાય છે. સમગ્ર ઘટનાની જાણ થતા VNSGUના કુલપતિએ તપાસના આદેશ આપ્યા છે. થોડા દિવસ પહેલા પણ ચેકિંગ દરમિયાન હોસ્ટેલ બહારનો વિદ્યાર્થી મળ્યો હતો. બીજી તરફ યુનિવર્સિટીના કુલપતિએ સમગ્ર મામલે તમામ વિભાગની બેઠક બોલાવી છે.જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
Published On - 4:14 pm, Sat, 13 April 24