Junagadh: ગણેશપર્વ પર બાપ્પાના પંડાલમાં જોવા મળ્યો આરતી અને બંદગીનો સમન્વય, લોકગાયક શબ્બીર ચોરવાડાએ આપ્યો કોમી એક્તાનો સંદેશ

Junagadh: શહેરના મધુરમ વિસ્તારમાં ગણેશપર્વ પર જોવા મળે છે કોમી એક્તા અને સાંપ્રાદાયિક સૌહાર્દનો સમન્વય. અહીં ગણેશ પંડાલમાં લોકગાયક શબ્બીર ચોરવાડા ગણેશજીની આરતી કરતા પણ જોવા મળે છે અને ખુદાની બંદગી પણ કરે છે આ સાથે તેઓ કહે પણ છે કે હિંદુસ્તાન એક્તાથી જ આગળ વધશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2022 | 8:56 PM

ગણપતિ પંડાલમાં પૂજા અને આરતી ઉતારી મુસ્લિમ યુવકો અને વડીલો કોમી એકતાનું આદર્શ ઉદાહરણ પૂરૂ પાડતા હોય તેવા દ્રશ્ય અનેક સ્થળે જોવા મળે છે. જુનાગઢ (Junagadh)ના મધુરમ વિસ્તારના લોકગાયક શબ્બીર ચોરવાડા પણ સોસાયટીના ગણેશ મહોત્સવ (Ganeshotsav)માં વર્ષોથી હોંશે-હોંશે ભાગ લે છે. ગણપતિ મહારાજમાં અપાર શ્રદ્ધા ધરાવતો શબ્બીર શ્રીજીના સુશોભન અને પૂજાની તૈયારી કરે છે. હિંદુ શ્રદ્ધાળુની જેમ આરતી ઉતારી સોસાયટીના અન્ય ભક્તોને પ્રસાદ પણ વહેંચે છે. ગણેશ મહોત્સવ સમયે બટુક ભોજન, લોકડાયરો, સત્યનારાયણની કથા સહિતના કાર્યક્રમોમાં પણ શબ્બીર અને તેની પત્ની રેશ્મા ચોરવાડા પૂરતો સહકાર આપે છે. ગણપતિ પંડાલમાં જ શબ્બીર નમાઝ પણ પઢે છે. બાપ્પાના પંડાલમાં હિંદુ અને મુસ્લિમ (Hindus and Muslims) બંને પૂજા પદ્ધતિથી પ્રભુને પ્રાર્થના કરી સુખ-શાંતિ અને સમૃદ્ધિની કામના કરવામાં આવે છે.

ગણેશજીના પંડાલમાં આરતી અને બંદગીનો સમન્વય

જૂનાગઢની હિંદુ બહુલ મધુરમ વિસ્તારની ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા શબ્બીર ચોરવાડાનો પરિવાર ગણેશ મહોત્સવ જ નહીં નવરાત્રિની પણ હર્ષોલ્લાસભેર ઉજવણી કરે છે. શબ્બીર ચોરવાડાના ઘરે પણ ખોડિયાર માતાનો મઢ રાખીને રોજ પૂજા કરે છે. દેશમાં કેટલાક તત્વો એવા પણ છે, હિંદુ-મુસ્લિમો વચ્ચે વૈમન્સ્ય ફેલાવી નફરતના બીજ રોપી બે સમુદાયને લડાવવાનું કામ કરે, પરંતુ અહીં  માનવતાને જ પરમધર્મ માનતા બંને સમુદાયના લાખો લોકો હળી-મળીને દેશને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે. લોકગાયક શબ્બીર ચોરવાડાના જણાવ્યા મુજબ એક્તાથી જ હિંદુસ્તાન આગળ વધશે અને એક્તાથી રહીશુ તો કોઈ તાકાત તોડી નહીં શકે. ત્યારે ગણેશપર્વ નિમીત્તે તેઓ કહે છે હું એક જ પ્રાર્થના અને બંદગી કરુ છુ અમારી વચ્ચે આમ જ એક્તા જળવાઈ રહે.

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">