અમરેલીના રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરએ કેસરિયો ખેસ પહેર્યા બાદ આજે રાજુલામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં શક્તિ પ્રદર્શન કર્યુ. પાટીલની હાજરીમાં કોંગ્રેસના અન્ય કાર્યકરો પણ ભાજપમાં જોડાઈ જતા રાજુલા કોંગ્રેસમાં સન્નાટો છવાઈ ગયો છે.
આ તકે સી.આર.પાટીલે જણાવ્યુ કે આખા ગુજરાતમાં મે જો કોઈને જાહેરમાં આમંંત્રણ આપ્યુ હોય તો ફક્ત અંબરીશ ડેરને આપ્યુ હતુ. એકમાત્ર અંબરીશ ડેર એવા નેતા હતા જેમને મે જાહેરમાં ભાજપમાં જોડાવા આમંત્રણ આપ્યુ હતુ. પરંતુ તેઓ એક ના બે ન થયા. પરંતુ હવે દેર આયે દુરસ્ત આયે. આજે તેઓ વિકાસના રસ્તે આગળ વધી રહ્યા છે.
વધુમાં પાટીલે જણાવ્યુ કે મે અંબરીશ ડેરને એટલી જ ટકોર કરી હતી કે તમે જે કંઈપણ બોલો ત્યારે તમે આટલા વર્ષ જે પાર્ટીમાં રહ્યા છો તેની ટીકા નહીં કરતા.
રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરે ગઈકાલે કમલમમાં કેસરિયા કર્યા બાદ આજે રાજુલા શહેરમાં માર્કેટીંગ યાર્ડની સામે વિજય ચોકમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિ વચ્ચે સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને કાર્યકરોએ હોદ્દા પરથી રાજીનામા આપ્યા બાદ કોંગ્રેસ પક્ષ છોડી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિ વચ્ચે ભાજપમાં કેસરીયા કર્યા હતા. સી.આર.પાટીલની સાથે નાયબ દંડક કૌશીક વેકરીયા, ધારાસભ્ય હીરા સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ કાબરીયા, સહિત ભારતીય જનતા પાર્ટીના હોદેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
Input Credit- Jaydev Kathi- Rajula
Published On - 10:27 pm, Wed, 6 March 24