સરકાર સામે ઇન્ટર્ન ડોક્ટર્સ ખોલશે મોરચો! આ જાહેરાતના એક મહિના બાદ પણ જવાબ ના મળતા રોષ
પ્રોત્સાહન ભથ્થાને લઈને ઇન્ટર્ન ડોક્ટર્સ નારાજ જોવા મળી રહ્યા છે. જાહેરાતના એક મહિના બાદ પણ જવાબ ના મળતા આ ડોક્ટર્સે 15 જુલાઈ સવારે 8 વાગે આંદોલન પણ ઉતારવાની ચીમકી આપી છે.
પ્રોત્સાહન ભથ્થાને લઇ ઇન્ટર્ન ડોક્ટર્સ ફરી નારાજ જોવા મળી રહ્યા છે. રાજ્ય સરકારની જાહેરાત બાદ કોઈ પ્રત્યુત્તર ન મળતાં ઇન્ટર્ન ડોક્ટર્સ નારાજ થઇને આંદોલનના રસ્તે જતા જોવા મળી રહ્યા છે. પોતાની માંગોને લઈને તેમણે 15 જુલાઈએ સવારે 8 વાગ્યાથી હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે.
તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારે વધારાનું પ્રોત્સાહન ભથ્થું આપવાની જાહેરાત કરી હતી. માર્ચ 2021થી જૂન 2021 સુધી વધારાના રૂપિયા 5 હજાર પ્રોત્સાહન ભથ્થા રૂપે આપવાની જાહેરાત સરકારે કરી હતી. રજૂઆતના એક મહિના બાદ પણ સરકાર તરફથી જોઈ જવાન ન મળતા ઇન્ટર્ન ડૉક્ટર્સ રોષે ભરાયા છે. સોલા ઇન્ટર્ન ડૉકટર્સ સાથે વલસાડ GMERSના ઇન્ટર્ન ડોકટર્સે પણ આ બાબતે ચીમકી આપી. જો કે સુરત, રાજકોટ,વડોદરા અને બીજે મેડિકલ કોલેજમાં પ્રોત્સાહન ભથ્થું અપાયાના અહેવાલ છે.
આ પણ વાંચો: દિવ્યાંગ રમતવીરો માટે રાજયસરકારની મોટી જાહેરાત, જાણો કોને અપાશે સરકારી નોકરીમાં સીધી ભરતી?
આ પણ વાંચો: Ahmedabad: ‘રક્ષક જ બન્યો ભક્ષક’, ફરિયાદી મહિલાને વિશ્વાસમાં લઈ પોલીસ કોન્સ્ટેબલે આચર્યું દુષ્કર્મ