VIDEO : ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનુ મોટુ નિવેદન, ‘મોરબી દુર્ઘટનામાં જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે’

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવીએ કહ્યું કે, રેન્જ આઈજીના અધ્યક્ષસ્થાને હાલ તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં આસપાસના પોલીસ અધિકારીઓ પણ જોડાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2022 | 10:43 AM

મોરબીની ઝૂલતા પુલની  દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ઘણા લોકો હજુ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 141 થી વધુના મોત થયા છે, જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધવાની શક્યતા છે. રેસ્ક્યુ અને બચાવ કામગીરી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી તાત્કાલિક બચાવ કામગીરી અંગે તાકીદ કરી હતી. પૂલ તૂટ્યો એ સમયે અનેક લોકો પૂલ પર હાજર હતા આથી મોતનો આંક હજુ વધવાની શક્યતા છે. દુર્ઘટનાને લઈને ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

મનુષ્યવધની કલમ હેઠળ ગુનો દાખલ કરાયો : હર્ષ સંઘવી

તેમણે કહ્યું કે, હાલ બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. સૌથી પહેલા ઈજાગ્રસ્ત લોકોને સારવાર મળે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી. હાલ ઘણા લોકોની સારવાર કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પીએમઓ સતત ગુજરાત ટિમ સાથે સંપર્કમાં હતું.
200 થી વધુ અલગ અલગ ફોર્સના લોકો બચાવ કામગીરીમાં જોડાયા છે. તમામ દિશામાં એકસાથે કામગીરી કરવામાં આવી રહી છે
હજીપણ 2 લોકો લાપતા છે તેમને શોધવાની કામગીરી ચાલી રહી છે.આવી ઘટનામાં સરકારની પ્રથમ ફરજ બચાવ કામગીરીની હોય,
થોડા સમયમાં બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. હાયપાવર કમિટીના સભ્યો રાત્રે જ મોરબી પહોંચી ગયા છે, રાત થી જ તપાસ કામગીરી શરુ થઇ ગઈ છે.

તો વધુમાં કહ્યું કે, રેન્જ આઈજીના અધ્યક્ષસ્થાને હાલ તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં આસપાસના પોલીસ અધિકારીઓ પણ જોડાયા છે. બ્રિજનું સમારકરામ કરનાર કંપની સામે પણ ગુનો દાખલ કરાયો છે. કલમ  304, 308, 114 તેમના વિરુદ્ધ કેસ દાખલ કરાયો છે. તો હજુ 2 લોકો લાપતા હોવાના સમાચાર મળી રહ્યા છે.

Follow Us:
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">