છેલ્લા 24 કલાકમાં રાજ્યના 122 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ દ્વારકામાં 15 ઈંચ વરસાદ વરસ્યો છે. પોરબંદરમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. જૂનાગઢના કેશોદમાં 8.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
વલસાડના ઉમરગામમાં 6.6 ઈંચ વરસાદ, દ્વારકાના ખંભાળિયામાં 6.6 ઈંચ વરસાદ, પોરબંદરના રાણાવાવમાં 4.5 ઈંચ વરસાદ, વલસાડ શહેરમાં 4 ઈંચથી વધુ વરસાદ, 8 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ, 8 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ, 20 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
પોરબંદરમાં અતિભારે વરસાદના પગલે 550થી વધુ લોકોનું સ્થળાતર કરવામાં આવ્યુ છે. પૂરગ્રસ્ત વિસ્તારના લોકોનું સ્થળાતર કરાવવામાં આવ્યું છે. લોકોને શેલ્ટર હોમ તેમજ શાળાઓમાં સ્થળાંતર કરાયા છે. શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયા છે.