AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું  વિપક્ષ કોરોનાના નામે રાજકારણ કરી રહ્યો છે

આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું વિપક્ષ કોરોનાના નામે રાજકારણ કરી રહ્યો છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 6:40 PM
Share

રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કોરોના મૃતકોના નામે વિધાનસભા ગૃહમાં વિપક્ષે જે નાટક કર્યું છે એ ખરેખર નિંદનીય છે.

GANDHINAGAR : ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રના આકે પ્રથમ દિવસે વિપક્ષે આજે હોબાળો કર્યો હતો અને ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અંગે વિપક્ષે પહેલા વિધાનસભા ગૃહમાં હોબાળો કર્યો હતો અને બાદમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

આ અંગે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે વિપક્ષ કોરોનાના નામે રાજકારણ કરી રહ્યો છે. કોરોના મૃતકોના નામે વિધાનસભા ગૃહમાં વિપક્ષે જે નાટક કર્યું છે એ ખરેખર નિંદનીય છે.. તેમણે કહ્યું કે કોરોના મૃતકોના પરિવારજનોને સહાયનો કેસ સુપ્રીમ કોર્ટમાં છે. તેમણે કહ્યું કોરોનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને રૂ.50,000 ની સહાય આપવાનો પરિપત્ર થયો છે.

આગળ તેમણે કહ્યું કે એ પરિપત્રમાં ગાઈડલાઈન પ્રમાણે કોનો કોનો સમાવેશ થશે એ બાબત પણ એમાં વર્ણવી છે. આ પરિપત્રનો અભ્યાસ કરીને સરકાર પ્રત્યેક મૃતકના પરિવારને રૂ.50,000 ની સહાય આપવા માટે જરૂરી પગલા લેવાની છે.

કોરોના કાળમાં લાખો લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. કોંગ્રેસ પક્ષે વિધાનસભા ગૃહમાં કોરોનામાં મૃતકોને મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવી. ગૃહમાં શાક્ષક પક્ષની કાર્યવાહી ચાલુ હતી તો બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા કોરોના મૃતકોને ઉભા થઇને ૐ નાઉચ્ચારણ સાથે શ્રદ્ધાંજલિ પાઠવી. ગૃહગમાં કોરોના મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવવાની દરખાસ્ત માન્ય ન રાખતા કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યું. વિધાનસભા ગૃહમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા ગૃહના સ્વર્ગસ્થ સભ્યોના આત્માને શાંતિ આપે તે માટે શોકદર્શક ઉલ્લેખ કર્યો. ગૃહના 19 પૂર્વ સભ્યોના દુઃખદ અવસાનની નોંધ મુકી હતી.

આ પણ વાંચો : GANDHINAGAR : જેઠા આહીર ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા, વિધાનસભાનું ઉપાધ્યક્ષનું પદ પણ ભાજપ પાસે

આ પણ વાંચો : સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપ સ્વામી નિમાયા

g clip-path="url(#clip0_868_265)">