આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું વિપક્ષ કોરોનાના નામે રાજકારણ કરી રહ્યો છે

રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું કોરોના મૃતકોના નામે વિધાનસભા ગૃહમાં વિપક્ષે જે નાટક કર્યું છે એ ખરેખર નિંદનીય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 6:40 PM

GANDHINAGAR : ગુજરાત વિધાનસભાના બે દિવસીય સત્રના આકે પ્રથમ દિવસે વિપક્ષે આજે હોબાળો કર્યો હતો અને ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું. કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અંગે વિપક્ષે પહેલા વિધાનસભા ગૃહમાં હોબાળો કર્યો હતો અને બાદમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

આ અંગે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે, તેમણે કહ્યું કે વિપક્ષ કોરોનાના નામે રાજકારણ કરી રહ્યો છે. કોરોના મૃતકોના નામે વિધાનસભા ગૃહમાં વિપક્ષે જે નાટક કર્યું છે એ ખરેખર નિંદનીય છે.. તેમણે કહ્યું કે કોરોના મૃતકોના પરિવારજનોને સહાયનો કેસ સુપ્રીમ કોર્ટમાં છે. તેમણે કહ્યું કોરોનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને રૂ.50,000 ની સહાય આપવાનો પરિપત્ર થયો છે.

આગળ તેમણે કહ્યું કે એ પરિપત્રમાં ગાઈડલાઈન પ્રમાણે કોનો કોનો સમાવેશ થશે એ બાબત પણ એમાં વર્ણવી છે. આ પરિપત્રનો અભ્યાસ કરીને સરકાર પ્રત્યેક મૃતકના પરિવારને રૂ.50,000 ની સહાય આપવા માટે જરૂરી પગલા લેવાની છે.

કોરોના કાળમાં લાખો લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. કોંગ્રેસ પક્ષે વિધાનસભા ગૃહમાં કોરોનામાં મૃતકોને મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવી. ગૃહમાં શાક્ષક પક્ષની કાર્યવાહી ચાલુ હતી તો બીજી તરફ કોંગ્રેસ પક્ષ દ્વારા કોરોના મૃતકોને ઉભા થઇને ૐ નાઉચ્ચારણ સાથે શ્રદ્ધાંજલિ પાઠવી. ગૃહગમાં કોરોના મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવવાની દરખાસ્ત માન્ય ન રાખતા કોંગ્રેસના સભ્યોએ વોકઆઉટ કર્યું. વિધાનસભા ગૃહમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા ગૃહના સ્વર્ગસ્થ સભ્યોના આત્માને શાંતિ આપે તે માટે શોકદર્શક ઉલ્લેખ કર્યો. ગૃહના 19 પૂર્વ સભ્યોના દુઃખદ અવસાનની નોંધ મુકી હતી.

આ પણ વાંચો : GANDHINAGAR : જેઠા આહીર ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા, વિધાનસભાનું ઉપાધ્યક્ષનું પદ પણ ભાજપ પાસે

આ પણ વાંચો : સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપ સ્વામી નિમાયા

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">