ધનતેરસના શુભ દિનથી ‘હર ઘર દસ્તક’ અભિયાન શરુ, ઘરે-ઘરે રસીકરણ થશે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં કહ્યું હતું કે,ખરાબ પ્રદર્શનવાળા જિલ્લાઓમાં કોવિડ-19ની ઘરે-ઘરે રસીકરણ માટે 'હર ઘર દસ્તક' અભિયાન શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, તેનો ઉદ્દેશ્ય લોકોને જીવલેણ વાયરસ સામે રક્ષણ માટે સંપૂર્ણ રસીકરણ માટે પ્રોત્સાહિત કરવાનો છે.
રસીકરણને વેગ આપવા સરકારે “હર ઘર દસ્તક” અભિયાન શરૂ કર્યુ છે. આ અંતર્ગત હવે કોરોનાની રસી સીધી તમારા ઘરઆંગણે પહોંચી જશે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 106 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. હવે આ અભિયાનને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર રાજ્યો સાથે મળીને “હર ઘર દસ્તક” અભિયાન શરૂ કર્યું છે. આ અંતર્ગત મેડિકલ ટીમો ઘરે ઘરે જઈને લોકોને રસી લગાવશે. ઝુંબેશ હેઠળ, જેમણે હજી સુધી કોરોના રસીનો એક પણ ડોઝ આપ્યો નથી અથવા જેઓ બીજા ડોઝ માટે પહોંચ્યા નથી. તેવા લોકોને તબીબી ટીમો કોરોના રસી આપશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં કહ્યું હતું કે,ખરાબ પ્રદર્શનવાળા જિલ્લાઓમાં કોવિડ-19ની ઘરે-ઘરે રસીકરણ માટે ‘હર ઘર દસ્તક’ અભિયાન શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, તેનો ઉદ્દેશ્ય લોકોને જીવલેણ વાયરસ સામે રક્ષણ માટે સંપૂર્ણ રસીકરણ માટે પ્રોત્સાહિત કરવાનો છે. વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે રાષ્ટ્રીય સમીક્ષા બેઠક દરમિયાન, માંડવિયાએ કહ્યું હતું કે, કોઈપણ જિલ્લો એવો ન રહેવો જોઈએ જ્યાં સંપૂર્ણ રસીકરણ ન હોય.
આ પણ વાંચો : ભારતીય મૂળના હોલીવુડ એક્ટર કાલ પેને સેક્સુઆલીટીને લઈને કહ્યું કંઈક આવું, 11 વર્ષ જુના પાર્ટનર સાથે સગાઈ કરી