AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડમીકાંડમાં યુવરાજના દાવાને GPSSBના પ્રમુખ હસમુખ પટેલે ફગાવ્યા, કહ્યુ- યુવરાજસિંહે 70 થી 80 નામો નથી આપ્યા

ડમીકાંડમાં યુવરાજના દાવાને GPSSBના પ્રમુખ હસમુખ પટેલે ફગાવ્યા, કહ્યુ- યુવરાજસિંહે 70 થી 80 નામો નથી આપ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2023 | 5:32 PM
Share

Gandhinagar: ભાવનગરમાં ભરતી પરીક્ષામાં સામે આવેલા ડમીકાંડમાં યુવરાજસિંહે 70 થી 80 નામો આપ્યા હોવાનો દાવો કર્યો હતો. યુવરાજના આ દાવાને GPSSBના પ્રમુખ હસમુખ પટેલે ફગાવ્યા છે. હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે કે યુવરાજે 70 થી 80 નહીં માત્ર 7 થી 8 નામો આપ્યા હતા.

ભાવનગર ડમીકાંડ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કરેલા દાવાને GPSSBના અધ્યક્ષ હસમુખ પટેલે ફગાવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે યુવરાજના દાવાને ફગાવતા સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે 70થી 80 નહીં પરંતુ 8 થી 10 જ નામ આપ્યા હતા.

આપને જણાવી દઇએ કે અગાઉ યુવરાજસિંહે ડમીકાંડના ખુલાસા વખતે હસમુખ પટેલને 70થી 80 લોકોના નામો આપ્યાનો દાવો કર્યો હતો. જોકે આ દાવા પર હસમુખ પટેલે સ્પષ્ટતા કરી છે કે, યુવરાજે માત્ર 7થી 10 જ નામો જ આપ્યા છે. પત્રકારો સાથેની વાતચીતમાં હસમુખ પટેલે સ્પષ્ટ કર્યું કે યુવરાજ મારી પાસે આવ્યો હતો અને ચારથી પાંચ લોકોના નામ આપ્યા હતા. જ્યારે મેસેજ દ્વારા અન્ય નામો આપ્યા હતા. આ તમામ નામો ગુજરાત ATSને આપ્યાની પણ તેઓએ માહિતી આપી.

આ પણ વાંચો : Breaking News: ભાવનગર ડમી કૌભાંડમાં બનાવાયેલી SITના અમરેલીમાં ધામા, જિલ્લામાં અનેક ઉમેદવારોની પરીક્ષા ડમી લોકોએ આપી હોવાનુ આવ્યુ સામે

મહત્વપૂર્ણ છે કે યુવરાજસિંહ પર તેમના જ નજીકના મિત્ર બિપિન ત્રિવેદીએ રૂપિયા 55 લાખ લેવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપ બાદ યુવરાજસિંહની કામગીરીને લઇને શંકા-કુશંકાઓ વહેતી થઇ હતી. ત્યારે દરેક આરોપનો સામી છાતીએ જવાબ આપવા ટેવાયેલા યુવરાજસિંહ હસમુખ પટેલની સ્પષ્ટતા વિશે ફોડ પાડે છે કે કેમ તે જોવું રહ્યું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">