AHMEDABAD : હાથીજણ DPS સ્કૂલની માન્યતા નહીં આપવાના નિર્ણયને હાઈકોર્ટે રદ્દ કર્યો

ગુજરાત હાઇકોર્ટમાં કેલોરેક્સ ફાઉન્ડેશને DPS સ્કૂલની ધોરણ 1થી 8ની માન્યતા ન આપવાના શિક્ષણ વિભાગના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટે રદ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 8:05 PM

AHMEDABAD : નિત્યાનંદ સ્વામીના આશ્રમને કારણે વિવાદમાં ઘેરાયેલી અને અમદાવાદના હાથીજણ પાસે આવેલી DPS-ઇસ્ટ, હિરાપુર સ્કૂલની માન્યતાને લઇને વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં કેલોરેક્સ ફાઉન્ડેશને DPS સ્કૂલની ધોરણ 1થી 8ની માન્યતા ન આપવાના શિક્ષણ વિભાગના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટે રદ કર્યો છે.

કેલોરેકસ ફાઉન્ડેશનના વકીલના જણાવ્યા પ્રમાણે કોર્ટે અવલોકન કર્યું છે કે ધોરણ 1થી 8ના વર્ગ શરૂ કરવા માટે હાથ ધરવામાં આવેલી પ્રક્રિયા કાયદા પ્રમાણે યોગ્ય છે. જેથી તેને પરવાનગી મળવી જોઈએ. જેને લઇને કોર્ટે હાથીજણ વિસ્તારની ડીપીએસ-ઇસ્ટ સ્કૂલની માન્યતા ન આપવાના શિક્ષણ વિભાગના નિર્ણયને રદ કરતા કેલોરેકસ ફાઉન્ડેશનની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જે માટે સ્કૂલ સંચાલકોએ ફરીથી કેલોરેકસ ફાઉન્ડેશન સાથે એગ્રીમેન્ટ કરવાની ફરજ પડશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા DPS સ્કૂલને તાત્કાલિક ધોરણે બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. મહત્વનું છે DPS સ્કુલ પાસે CBSE અને ગુજરાત બોર્ડની માન્યતા ન હોવાથી બંધ કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જો કે હવે હાઈકોર્ટે માન્યતા રદ્દ કરવાના આ આદેશને જ રદ્દ કરી દીધો છે.

માન્યતા રદ્દ થયા બાદ DPS EAST સ્કૂલને માન્યતા વગર પ્રાથમિક વિભાગ ચલાવવા બાબતે અમદાવાદ DPEO દ્વારા 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડ ફટકારવા ઉપરાંત સ્કૂલને તાકીદ કરવામાં આવી હતી કે જો હજી પણ સ્કૂલ ચાલુ રાખવામાં આવશે તો પદરરોજ રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવશે.

આ પણ વાંચો : GANDHINAGAR : હેડ કલાર્કનું પેપર લિક થયાના આક્ષેપ, પરીક્ષાના સમય પહેલા પેપર પહોચ્યાના આરોપ

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">