AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતના 33 જિલ્લામાં નવા તાલુકા અસ્તિત્વમાં આવશે, 17 જેટલા નવા તાલુકાની થશે રચના, જુઓ Video

Breaking News : ગુજરાતના 33 જિલ્લામાં નવા તાલુકા અસ્તિત્વમાં આવશે, 17 જેટલા નવા તાલુકાની થશે રચના, જુઓ Video

Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 24, 2025 | 3:10 PM
Share

ગુજરાત રાજ્યમાં વહીવટી સુવિધા અને નાગરિકોની સુગમતા વધારવાના ઉદ્દેશ્ય સાથે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં 17 નવા તાલુકાઓની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં વહીવટી સુવિધા અને નાગરિકોની સુગમતા વધારવાના ઉદ્દેશ્ય સાથે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં 17 નવા તાલુકાઓની રચનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નવા તાલુકાઓ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં સ્થાપિત કરવામાં આવશે. હાલમાં ગુજરાતમાં 250 થી વધુ તાલુકાઓ કાર્યરત છે. આ નવા તાલુકાઓ ઉમેરાવાથી ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને વહીવટી કાર્યો માટે ઓછા અંતરનું પ્રવાસ કરવું પડશે અને તેમને સમય અને ખર્ચ બચશે.

આ નિર્ણય સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનારી આ ચૂંટણીઓમાં નવા તાલુકાઓનો સમાવેશ થઈ શકે છે. સરકાર દ્વારા સાંજે 4 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં નવા તાલુકાઓના સ્થાન, તેમની સીમાઓ અને અન્ય વિગતો જાહેર કરવામાં આવશે. સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં પણ નવા તાલુકાઓ ઉમેરવામાં આવશે.

આ ઉપરાંત, આ નવા તાલુકાઓની રચનાથી વસ્તીના ધોરણે વહીવટી પ્રક્રિયાઓનું સરળીકરણ થશે અને ગ્રામીણ વિસ્તારોનો વિકાસ ઝડપી બનશે. આ નિર્ણયને ગુજરાતના ગ્રામીણ વિસ્તારો માટે એક મોટી સુવિધા ગણવામાં આવી રહી છે. સરકાર દ્વારા આગામી સમયમાં વધુ વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">