Gujarat Election 2022 : પીએમ મોદીએ આદિવાસીઓને સન્માન અપાવ્યું : અમિત શાહ

|

Nov 29, 2022 | 4:21 PM

ગુજરાતમાં પ્રથમ તબક્કા ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. જેમાં રાજકીય પક્ષો હાલ પ્રચારમાં વ્યસ્ત છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે અનેક જિલ્લાઓમાં પ્રચાર કરી રહ્યા છે.  જેમાં દાહોદના ગરબાડામાં ગૃહ પ્રધાન અમિત શાહે સભા સંબોધી. જેમાં તેમણે જણાવ્યુ કે, દેશને આઝાદ કરવામાં આદિવાસીઓનું મોટુ બલિદાન છે. પણ કોંગ્રેસના સમયમાં આદિવાસીઓનું અપમાન થતુ હતુ. PM મોદીએ આદિવાસીઓને સન્માન અપાવ્યુ છે.

ગુજરાતમાં પ્રથમ તબક્કા ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. જેમાં રાજકીય પક્ષો હાલ પ્રચારમાં વ્યસ્ત છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે અનેક જિલ્લાઓમાં પ્રચાર કરી રહ્યા છે.  જેમાં દાહોદના ગરબાડામાં ગૃહ પ્રધાન અમિત શાહે સભા સંબોધી. જેમાં તેમણે જણાવ્યુ કે, દેશને આઝાદ કરવામાં આદિવાસીઓનું મોટુ બલિદાન છે. પણ કોંગ્રેસના સમયમાં આદિવાસીઓનું અપમાન થતુ હતુ. PM મોદીએ આદિવાસીઓને સન્માન અપાવ્યુ છે. ભાજપ સરકારે આદિવાસી સમાજની મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા છે.તેમણે  કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે કહ્યું કે ગરબાડાના મતદારો પંજાને પસંદ કરતા હોવાથી વિકાસ રૂંધાયો છે. જો કમળને ચૂંટશો તો વિકાસ કાર્યોમાં અનેકગણી સ્પીડ આવશે.ભૂપેન્દ્ર પટેલની સરકારે આદિવાસી વિસ્તારો માટે એક લાખ કરોડનું બજેટ ફાળવ્યું છે. જેનો મહત્તમ લાભ લેવા ગરબાડા વાસીઓને અમિત શાહે અપીલ કરી. તો વડાપ્રધાન મોદીએ દેશની સુરક્ષા, આતંકવાદના સફાયા, અર્થતંત્રના વિકાસ, રામ મંદિર સહિતના મુદ્દે અનેક મહત્વના પગલા ભર્યા હોવાનું પણ જણાવ્યું.

ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Next Video