Janmotsav : ભક્તિના સાગરમાં હૈયા તરબોળ, મધરાતે શંખનાદ અને જયઘોષ સાથે ભગવાન કૃષ્ણના પ્રાગટ્યની કરાઈ ઉજવણી, જુઓ Video

Janmotsav : ભક્તિના સાગરમાં હૈયા તરબોળ, મધરાતે શંખનાદ અને જયઘોષ સાથે ભગવાન કૃષ્ણના પ્રાગટ્યની કરાઈ ઉજવણી, જુઓ Video

| Edited By: | Updated on: Aug 17, 2025 | 10:33 AM

ગતરાત્રીએ જન્માષ્ટમીના પાવન પર્વ પર ગુજરાતના તમામ કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. રાત્રે 12 વાગ્યે જ રાજ્યમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

ગતરાત્રીએ જન્માષ્ટમીના પાવન પર્વ પર ગુજરાતના તમામ કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. રાત્રે 12 વાગ્યે જ રાજ્યમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીમાં દ્વારકાના દ્વારકાધીશ મંદિર અને ડાકોરના રણછોડરાયજી મંદિર ખાસ ઉલ્લેખનીય છે. દ્વારકાધીશ મંદિરમાં મધ્યરાત્રિના શંખનાદ અને મંત્રોચ્ચાર સાથે ભગવાન કૃષ્ણના પ્રાગટ્યની ઉજવણી થઈ.

ભક્તિના સાગરમાં હૈયા તરબોળ

આ ઉપરાંત મંદિર પરિસર ભક્તોથી ખીચોખીચ ભરાયેલું હતું અને “દ્વારકાધીશકી જય” ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. ડાકોરમાં પણ કાળિયા ઠાકોર તરીકે પ્રખ્યાત રણછોડરાયજીના મંદિરમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. દૂર-દૂરથી આવેલા ભક્તોએ રણછોડરાયજીના જયઘોષ સાથે ભગવાનના દર્શન કર્યા. આ બંને પવિત્ર સ્થળોએ જન્માષ્ટમીની ઉજવણી ભક્તિના સાગરમાં તરબોળ થઈ ગઈ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો