Rajkot: સૌરાષ્ટ્રવાસીઓ માટે આનંદના સમાચાર, આ વર્ષે રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો યોજાશે

જો કોરોનાની લહેર નહીં આવે તો રાજકોટનો પ્રખ્યાત જન્માષ્ટમીનો લોકમેળો યોજાઇ શકે છે. વહીવટી તંત્રમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી સમયમાં રાજકોટના મેળા અંગે બેઠક યોજાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 6:01 PM

સૌરાષ્ટ્રવાસી (Saurashtra) ઓ માટે આનંદના સમાચાર છે. રાજકોટમાં જન્માષ્ટમી (Janmashtami) નો મેળો આ વર્ષે યોજાય તેવી પૂરી શક્યતા છે. જો કોરોનાની લહેર નહીં આવે તો રાજકોટ (Rajkot) નો પ્રખ્યાત જન્માષ્ટમીનો લોકમેળો યોજાઇ શકે છે. વહીવટી તંત્રમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી સમયમાં રાજકોટના મેળા અંગે બેઠક યોજાશે. રાજકોટના જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવી જણાવ્યું હતું કે, આ અંગે આગામી સમયમાં જ બેઠક આયોજીત કરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે, કોરોના વાઇરસની મહામારીને પગલે છેલ્લા બે વર્ષથી જન્માષ્ટમીનો લોકમેળો વહીવટી તંત્ર દ્વારા રદ કરવામાં આવેલ હતો.

જોકે હવે કોરોના વાઇરસની મહામારી હવે નહિવત થતાં હવે આગામી ઓગસ્ટ માસમાં બે વર્ષના સમયગાળા બાદ હવે તા. 17 થી 21 ઓગસ્ટ દરમિયાન પાંચ દિવસનો જન્માષ્ટમીનો લોકમેળો યોજવા માટે વહીવટી તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે. કલેક્ટરે વિશેષમાં જણાવ્યું હતું કે, આગામી જન્માષ્ટમીનો લોકમેળો રેસકોર્સ ગ્રાઉન્ડમાં જ આયોજીત કરવામાં આવશે. આગામી સમયમાં આ મેળા માટે તૈયારીઓ શરુ થશે.

આ મેળાને મલાહવા માટે સૌરાષ્ટ્ર-ગુજરાતભરમાંંથી લોકો રાજકોટમાં ઉમટી પડે છે અને હૈયે હૈયુ દળાઇ એટલી માનવ મેદની આ મેળામાં મહાલવા માટે આવે છે. જન્માષ્ટમીનો આ લોકમેળો લોકમેળા ઉત્સવ સમિતિના નેજા હેઠળ વહીવટી તંત્ર દ્વારા આયોજીત કરાય છે. આગામી સમયમાં આ મેળા અંગેની તૈયારીઓનો દોર વહીવટી તંત્રે હાથ પર લઇ પ્રાંત કચેરીઓમાં બે વર્ષ જૂની ફાઈલો પરથી ધૂળ ખંખેરવાનું શરુ કરી લીધું છે.

Follow Us:
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">