Rajkot : પક્ષી પ્રેમીઓની અનોખી સેવા, પાણીના કુંડાઓમાં રોજ ઠાલવે છે 100 કિલોથી વધારે બરફ

છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ગરમીનો (Heatwave) પારો વધી રહ્યો છે, ત્યારે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ પણ ઠંડુ પાણી પી ને સંતોષ મેળવે એવા આશયથી આ સેવા કરવામાં આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 9:56 AM

છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો(Heatwave)  પારો વધી રહ્યો છે.જેને કારણે માણસો સહિત અબોલ પ્રાણીઓની સ્થિતિ પણ કથળી રહી છે.રાજકોટમાં (Rajkot) પક્ષી પ્રેમીઓ (Bird Lover) દ્વારા અનોખો સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. પક્ષીઓના પાણી પીવાના કુંડા ચબૂતરામાં શહેરના બે પક્ષીપ્રેમીઓ દ્વારા રોજ 100 કિલોથી વધારે બરફ ઠાલવવામાં આવે છે. કાળઝાળ ગરમીમાં પક્ષીઓ પણ ઠંડુ પાણી પી ને સંતોષ મેળવે એવા આશયથી આ સેવા કરવામાં આવી રહી છે.

મંગળવારે ગરમીથી લોકોને આંશિક રાહત થઈ

ગુજરાતમાં (Gujarat) ગરમીના પ્રમાણમાં મંગળવારે ઘટાડો નોંધાયો છે. જેમાં રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જેમાં અમદાવાદ અને રાજકોટમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. અમદાવાદમાં 41.3 ડિગ્રી, રાજકોટમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેમજ અમરેલીમાં 40.8 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી, ભાવનગરમાં 40.4 ડિગ્રી, ડીસામાં 40.2 ડિગ્રી, ગાંધીનગરમાં 40 ડિગ્રી, કંડલામાં 40.4 ડિગ્રી અને પાટણમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

જો કે આ દરમ્યાન હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત ગુજરાતવાસીઓને હજુ ગરમીથી રાહત નહી મળે શકે.અમદાવાદ (Ahmedabad) શહેરમાં આગામી પાંચ દિવસ સુધી કાળઝાળ ગરમી પડશે. જેમાં ચાર દિવસ સુધી તાપમાન 43 ડિગ્રી રહેશે.જેને લઈને લોકોને આકરા તાપનો સામનો કરવો પડશે.43 ડિગ્રીથી વધુ તાપમાન વધવાની શકયતાને પગલે હવામાન વિભાગે યલો એલર્ટની આગાહી કરી છે.ઉલ્લેખનીય છે કે, એપ્રિલના છેલ્લા અઠવાડિયાથી લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ગરમીના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ બન્યા છે.જે માર્ગો પર વાહનોની કતારો જોવા મળતી હતી ત્યાં એકલદોકલ વાહનો નજરે પડયા હતા.

Follow Us:
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">