AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GANDHINAGAR : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર, ત્રીજી ઓક્ટોબરના રોજ યોજાશે મતદાન

Gandhinagar Municipal Corporation Election : ગાંધીનગર મહાનગરપાલિકામાં 11 વોર્ડની 44 બેઠક પર ચૂંટણી યોજાશે.

GANDHINAGAR : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર, ત્રીજી ઓક્ટોબરના રોજ યોજાશે  મતદાન
Gandhinagar Municipal Corporation election announced
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 5:29 PM
Share

GANDHINAGAR : જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી એ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત આખેર થઇ ગઈ છે. રાજ્યના ચૂંટણીપંચે ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar Municipal Corporation) ની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. રાજ્યના ચૂંટણીપંચે આ નાગે સત્તાવાર જાહેરાત કરતા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કર્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં 11 વોર્ડની 44 બેઠક પર ચૂંટણી યોજાશે.

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી તારીખ 3-10-2021 ના રોજ યોજાશે, જ્યાં જરૂર પડશે ત્યાં 4-10-2021 ના રોજ પુનઃ મતદાન યોજાશે અને અને મતગણતરી તારીખ 05-10-2021 ના રોજ યોજાશે. ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18-09-2021 છે અને ફોર્મ પાછા ખેચવાની છેલ્લી તારીખ 21-09-2021 છે.

રાજ્યના ચૂંટણીપંચે આ અંગે નિયમો જાહેર કર્યા છે.

1)મહાનગરપાલિકા , નગરપાલિકાની સામાન્ય / મધ્યસત્ર ચૂંટણી અને અન્ય સ્વરાજયના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી હેઠળના વિસ્તારમાં તા.06-09-2021 ના રોજ ચૂંટણીઓની જાહેરાત થતાં ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલમાં મુકવામાં આવી છે.

2) ચૂંટણીમાં ઉમેદવારે ઉમેદવારી પત્ર સાથે પોતાનો ગુન્હાહિત ઈતિહાસ , શૈક્ષણિક લાયકાત , મિલકત અને દેવાં બાબતનું સોગંદનામું ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે . અરજદાર ઉમેદવારી ફોર્મ સંબંધિત ચૂંટણી અધિકારીની કચેરીએથી મેળવી શકાશે અથવા આયોગની વેબસાઈટ http : sec-gujarat.gov.in પરથી ડાઉનલોડ પણ કરી શકાશે.

3)આ ચૂંટણીમાં મતદાન સમયે , મતદારે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલ ઓળખપત્ર ( EPIC) રજુ કરવાનું રહેશે, પરંતુ વ્યાજબી કારણસર રજૂ કરી શકે તેમ ન હોય તો, સંબંધિત મતદારની ઓળખ પ્રસ્થાપિત થાય તે માટે મતદાર , રાજય ચૂંટણી આયોગે નિયત કરેલ ફોટાવાળા દસ્તાવેજો પૈકી કોઈ એક દસ્તાવેજ રજૂ કરી શકશે.

4)) રાજય ચૂંટણી આયોગે , આ ચૂંટણી માટેના મતદાનનો સમય સવારે 7:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધીનો નકકી કરેલ છે . કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે તે અંગે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ સુનિશ્ચિત કરવામાં આવશે . મહાનગરપાલિકાઓનગરપાલિકાઓ / જિલ્લા / તાલુકા પંચાયતોની સામાન્ય / મધ્યસત્ર / પેટા ચૂંટણીઓ વીજાણુ મતદાન યંત્રો ( EVM) દ્વારા કરવામાં આવશે.

Follow Us
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
વ્યાપાર, ધનલાભ અને પ્રેમ સંબંધોમાં પ્રગતિના યોગ, જુઓ
વ્યાપાર, ધનલાભ અને પ્રેમ સંબંધોમાં પ્રગતિના યોગ, જુઓ
આણંદના તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની ધરપકડ
આણંદના તત્કાલીન અધિક કલેકટર કેતકી વ્યાસની ધરપકડ
કપડવંજ APMCના ચેરમેન નિલેશ પટેલનું અચાનક રાજીનામું
કપડવંજ APMCના ચેરમેન નિલેશ પટેલનું અચાનક રાજીનામું
અમદાવાદના ગીતામંદિર બસ ટર્મિનલનું 16 વર્ષ બાદ લોકાર્પણ
અમદાવાદના ગીતામંદિર બસ ટર્મિનલનું 16 વર્ષ બાદ લોકાર્પણ
આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
149મી રથયાત્રામાં તંત્રની મોટી બેદરકારી: 2 અંધ હાથીઓને કરાયા સામેલ
149મી રથયાત્રામાં તંત્રની મોટી બેદરકારી: 2 અંધ હાથીઓને કરાયા સામેલ
g clip-path="url(#clip0_868_265)">