NPK ખાતરના ભાવમાં 250 રૂપિયાનો વધારો, ખેડૂતો ચિંતામાં મુકાયા

ખાતરમાં ભાવ વધારો ઝીંકાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 40 કરોડનો આર્થિક બોજો પડશે. જેથી દક્ષિણ ગુજરાત સહિતના તમામ ખેડૂતોમાં ખાતરમાં ભાવ વધારાને લઈને રોષ જોવા મળી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 3:32 PM

પેટ્રોલ-ડીઝલ, ગેસ, શાકભાજી, તેલ સહિત જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં મોંઘવારી (Inflation) કૂદકેને ભૂસકે વધી રહી છે. તેમાં એકવાર ફરી ખાતરના ભાવોમાં પણ વધારો કરતા ખેડૂતોની કમ્મર તુટી ગઈ છે. NPK ખાતર (fertilizer)ના ભાવમાં 250 રૂપિયાના વધારા સાથે નવો ભાવ 1,700 રૂપિયા પહોંચી ગયો છે. ખાસ કરીને શેરડીમાં ખાતરનો વધુ ઉપયોગ થતો હોવાથી વર્ષે ખેડૂતો (Farmers)એ ગજવામાંથી વધુ ખર્ચ કરવો પડશે.

રો મટીરિયલ્સના વધેલા દરની અસર

સામાન્ય નાગરિક તો મોંઘવારીથી પીસાઈ જ રહ્યો છે. પરંતુ હવે ખેડૂતોને પણ મોંઘવારીથી માર પડી રહ્યો છે. એક તરફ વારંવાર માવઠાનો માર સહન કરતા ખેડૂતો પર તો પડતા પર પાટુ જેવી સ્થિતિ વારંવાર સર્જાઈ રહી છે. રો મટીરિયલ્સના વધેલા દરની અસરના ભાગ રૂપે પોટાશ ખાતરના ભાવમાં વધારો થયો છે. રોકડિયા પાક અને શેરડીની ખેતી કરતા ખેડૂતોને ખાતરના ભાવ વધારાને કારણે વધારાનો બોજો પડશે.

સબસિડી આપવા ખેડૂતોની માગ

ખાતરમાં ભાવ વધારો ઝીંકાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોને 40 કરોડનો આર્થિક બોજો પડશે. જેથી દક્ષિણ ગુજરાત સહિતના તમામ ખેડૂતોમાં ખાતરમાં ભાવવધારાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ 5 હજાર કરોડની સબસિડી આપવા કેન્દ્ર સરકાર સમક્ષ માગ કરી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધતા પ્રતિબંધોની શરૂઆત, હેર સલૂન-બ્યુટી પાર્લરને 50 ટકા ક્ષમતા સાથે ચલાવવા ગાઈડ લાઇન

આ પણ વાંચોઃ હું માતાજીના સમ ખાઇને કહું છું કે મેં દારુ પીધો જ નથી : ઇસુદાન ગઢવી

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">