Ahmedabad Video : ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ સાથે કરાઈ ઈમરજન્સી બેઠક, અમદાવાદ ન છોડવા આપી સૂચના

|

Aug 06, 2024 | 4:52 PM

ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ માટે સત્તાવાર રીતે સૂચના જાહેર કરવામાં આવી છે.જે અંતર્ગત કોઈપણ વિદ્યાર્થીને અમદાવાદ ના છોડવા માટે સૂચના આપી દેવાઈ છે.

બાંગ્લાદેશ હિંસાની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ માટે સત્તાવાર રીતે સૂચના જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત કોઈપણ વિદ્યાર્થીને અમદાવાદ ના છોડવા માટે સૂચના આપી દેવાઈ છે.

જો કોઈ કારણોસર અમદાવાદની બહાર જવાનું થાય તો ફરજિયાત પણે  યુનિવર્સિટીમાં જાણ કરવા અને મંજૂરી માગવાની સૂચના આપવામાં આવી છે. એટલું જ નહી પરંતુ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા અભ્યાસ કરી રહેલા તમામ 20 વિદ્યાર્થીઓ સાથે ઈમરજન્સી બેઠક કરવામાં આવી હતી.

ઈમરજન્સી બેઠકમાં વિદ્યાર્થીઓને સૂચના આપતા જણાવવામાં આવ્યુ કે હિંસા મામલે કોઈપણ વિદ્યાર્થી સોશિયલ મીડિયામાં રિએક્ટ ના કરે, અફવાથી પણ તમામ લોકો દૂર રહે અને આ સાથે જ ગુજરાત યુનિવર્સિટીના 2 ઇમરજન્સી નંબર પણ આપવામાં આવ્યા છે. તમામને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરી પરિવારના સંપર્કમાં રહેવા સૂચન આપવામાં આવ્યું છે.

Next Video