Ahmedabad Video : 35 શાળાઓને શિક્ષણાધિકારીએ ફટકારી નોટિસ, નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજનામાં બેદરકારી અંગે ખુલાસો માગ્યો

|

Aug 01, 2024 | 12:49 PM

વિદ્યાર્થીઓને આર્થિક લાભ મળે તેના માટે સરકાર દ્વારા નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલી છે. પરંતુ કેટલીક શાળાઓમાં આ યોજના અંગે પણ બેદરકારી સામે આવી છે.

વિદ્યાર્થીઓને આર્થિક લાભ મળે તેના માટે સરકાર દ્વારા નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલી છે. પરંતુ કેટલીક શાળાઓમાં આ યોજના અંગે પણ બેદરકારી સામે આવી છે.અમદાવાદની 35 શાળાઓને શિક્ષણાધિકારીએ નોટિસ ફટકારી છે.

નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજનામાં બેદરકારી મુદ્દે પણ નોટિસ ફટકારી છે. વિદ્યાર્થીઓને લાભ અપાવતી યોજનાની કામગીરી ન થતા નોટિસ ફટકારી છે. શાળાઓને નોટિસ આપીને ખુલાસો માગવામાં આવ્યો છે. યોજના વિદ્યાર્થીઓ સુધી તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.

સાયકલો ધૂળ ખાતી જોવા મળી

બીજી તરફ વડોદરાના સાવલીમાં સરસ્વતી સહાય યોજના અંતર્ગત વિતરણ કરવામાં આવતી સાયકલો ધૂળ ખાતી જોવા મળી હતી. આશરે 900 સાયકલો પર 2023નું વર્ષ લખેલું છે. મળતી માહિતી અનુસાર છેલ્લા બે વર્ષથી આ યોજના હેઠળ સમગ્ર સાવલી તાલુકાની ધોરણ નવમાં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું નથી

Next Video