Corona: ગુજરાતમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો, જો કે મોતના આંકડા ડરામણા

ગુજરાતમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થયો હોવાની વાત ભલે થોડી રાહત આપનારી હોય પણ કોરોનાથી વધેલા મોતના આંકડા તમને ડરાવી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 25, 2022 | 8:52 AM

ગુજરાતમાં કોરોના કેસ (Corona case)નો ગ્રાફ ધીરે-ધીરે ઘટી રહ્યો છે. માત્ર બે દિવસમાં જ નવા કેસમાં 40 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને નવા કેસની સંખ્યા ઘટીને 14 હજાર નીચે પહોંચી છે. જો કે એક જ દિવસમાં કોરોનાથી સૌથી વધુ 25 દર્દીના મોત (Death from corona) થયા હોવાનું સામે આવ્યુ છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થયો હોવાની વાત ભલે થોડી રાહત આપનારી હોય પણ કોરોનાથી વધેલા મોતના આંકડા તમને ડરાવી શકે છે. 24 જાન્યુઆરીએ કોરોનાથી 25 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે. છેલ્લા થોડા દિવસથી પણ કોરોનાથી મોતના આંક સતત નોંધાઈ રહ્યા છે. જે ત્રીજી લહેર કેટલી ગંભીર છે તેની સાબિતી આપે છે.

24 જાન્યુઆરીએ રાજ્યમાં કોરોનાના 13,805 નવા કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 4,361 કેસ નોંધાયા છે અને અમદાવાદમાં સર્વાધિક 6 દર્દીના મૃત્યુ થયા છે તો વડોદરા શહેરમાં કોરોના નવા 2,534 કેસ સામે આવ્યા અને 3 દર્દીઓના મોત થયા છે. સુરત શહેરમાં પણ 1,136 નવા કેસ અને 3 દર્દીના મોત થયા છે. રાજકોટ શહેરમાં 889 નવા કોરોના દર્દી મળ્યા અને 2 દર્દીએ જીવ ગુમાવ્યા છે તો વડોદરા જિલ્લામાં 721 નવા કેસ નોંધાયા અને એક વ્યક્તિનું મોત થયું છે.

ગાંધીનગરમાં 325 કેસ મળ્યા છે. ભાવનગર શહેરમાં 295 કેસ નોંધાયા અને એક દર્દીનું મોત થયું છે તો કચ્છમાં 282 નવા મામલા સામે આવ્યા અને એક વ્યક્તિનું મોત થયું છે. જામનગરમાં 140 નવા કેસ સામે આવ્યા, જ્યારે ત્રણ લોકોના મોત થયા છે. મહેસાણા અને વલસાડમાં કોરોનાની સ્થિતિ સતત વિકટ થઈ રહી છે. મહેસાણામાં કોરોનાના 231 નવા દર્દી મળ્યા અને એકનું મોત થયું છે તો વલસાડમાં 141 નવા કેસ નોંધાયા અને એક દર્દીનું મોત થયું છે.

બીજી તરફ રાજ્યમાં પાછલા 24 કલાકમાં 13,469 દર્દી સારવાર બાદ સ્વસ્થ થયા છે. હાલમાં ગુજરાતમાં કોરોનાના 1 લાખ 35 હજારથી વધુ એક્ટિવ કેસ છે. જે પૈકી 284 કોરોના દર્દી વેન્ટીલેટર પર સારવાર હેઠળ છે અને 1 લાખ 34 હજારથી વધુ દર્દીની સ્થિતિ સ્થિર છે.

આ પણ વાંચો- અમદાવાદના નાગરિકો પર સફાઈના નામે વધી શકે છે ટેક્સ, જાણો નાગરિકો પર કેટલો બોજ વધી શકે

આ પણ વાંચો- ખેડા : ગુજરાતના 10 હજાર ગામોમાં રમત ગમતના મેદાનો અને પુસ્તકાલયોને વિકસાવવાનું કામ કરાશે : કેબિનેટ મંત્રી અર્જૂનસિંહ ચૌહાણ

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">