GANDHINAGAR : વારસાઈ હક માટે પૂર્વ CM માધવસિંહ સોલંકીની પુત્રી મેદાનમાં, અખબારમાં ભાઈઓ સામે નોટીસ આપી ચેતવણી જાહેર કરી
માધવસિંહ સોલંકીના ગાંધીનગર સ્થિત બંગલાના વેચાણના સોદામાં તેમની પુત્રી અલકા પટેલે વારસાઈ હક માગ્યો છે. અલકા પટેલે જાહેર ચેતવણી આપી છે અને કહ્યું છે કે તેની જાણ બહાર મકાનનો સોદો થશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.
GANDHINAGAR :રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનો ગાંધીનગર સ્થિત બંગલો વિવાદમાં આવી ગયો છે.પૂર્વ CM માધવસિંહ સોલંકીના ગાંધીનગર સ્થિત બંગલામાં વારસાઈ હક માટે ભાઈઓ સામે હવે માધવસિંહ સોલંકીની પુત્રી અલકા પટેલ મેદાનમાં ઉતર્યા છે. માધવસિંહ સોલંકીના ગાંધીનગર સ્થિત બંગલાના વેચાણના સોદામાં તેમની પુત્રી અલકા પટેલે વારસાઈ હક માગ્યો છે. અલકા પટેલે જાહેર ચેતવણી આપી છે અને કહ્યું છે કે તેની જાણ બહાર મકાનનો સોદો થશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે.તેમણે આરોપ લગાવ્યો છે કે મકાનમાં ભાગ હોવા છતાં તેમને જાણ કરવામાં આવી નથી.
મહત્વનું છે કે પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીનું 9 જાન્યુઆરી 2021ના રોજ અવસાન થયું હતું.. તેમના અવસાન બાદ ગાંધીનગરના સેક્ટર 19માં આવેલા તેમના માટે વિવાદ ઉભો થયો છે.પુત્રી અલકા પટેલે વકીલ મારફતે અખબારમાં નોટિસ પ્રસિદ્ધ કરાવીને ચેતવણી આપી છે કે આ વારસાઈમાં તેનો ભાગ છે.નોટિસમાં અલકા પટેલના વકીલે લખ્યું છે કે પોતાનો હક ડૂબાડવાનો પ્રયાસ કરતા બાકીના ભોગવટદારોએ મકાન વેચવાનો પ્રયાસ કર્યો છે જે ગેરકાયદે છે. આ મકાનમાં ભરતસિંહ સોલંકી, અશોક સોલંકી, અતુલ સોલંકી, વસુધા સોલંકી અને અલકા પટેલ પણ ભોગવટો ધરાવે છે. અલકા પટેલે નોટિસમાં આરોપ મૂક્યો છે કે મકાનનો સોદો તેની જાણ બહાર કરી નાખવામાં આવ્યો છે.
જો ભરતસિંહ સોલંકીની વાત કરીએ તો હાલ તેમની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. પહેલાં પત્ની રેશમા પટેલ સાથેનો વિવાદ સામે આવ્યો હતો અને બન્નેએ એક બીજા સામે જાહેર નોટીસ આપી હતી. હવે ભરતસિંહના પિતા સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીની સંપત્તિનો વિવાદ સામે આવ્યો છે. તેમના બહેન અલકા પટેલે આવી જાહેર ચેતવણી આપતા વિવાદ ઉભો થયો છે.
આરામદાયક દિવસનો આનંદ માણશો, અનિચ્છનીય યાત્રા કરવી પડી શકે છે
ગુજરાત IPS એસોસિએશને ગોપાલ ઇટાલિયા પર કડક પગલાં ભરવાની કરી માગ
Breaking News: સુરતમાં ધોળા દિવસે ગન પોઈન્ટ પર બેંકમાં લૂંટ
જામનગરમાં અપહરણ કરી યુવકને ટોર્ચર કરનારા '5 આરોપી' પોલીસના સકંજામાં
