લોકસભાની સામાન્ય ચૂંટણીઓ પહેલા વધુ એક ઝટકો કોંગ્રેસને લાગ્યો છે. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી લડનાર સીજે ચાવડાએ હારનો સામનો કર્યો હતો. ત્યારબાદ વિજાપુર વિધાનસભા બેઠક પરથી સીજે ચાવડાને કોંગ્રેસે ટિકિટ આપી હતી. જ્યાં જીત મેળવ્યા બાદ કોંગ્રેસને હવે એક વર્ષ અને એક મહિના બાદ સીજે ચાવડાએ રામરામ કરી દીધા છે.
આ પહેલા સીજે ચાવડા વર્ષ 2017માં પણ ચૂંટણી લડી ચૂક્યા છે. રાજકારણમાં આવતા અગાઉ રાજ્ય સરકારમાં અધિકારી રહી ચૂક્યા છે. રાજીનામું મુકી ટીવી9 સાથે વાતચીતમાં આ નિર્ણય લેવા પાછળના કારણો પણ જણાવ્યા હતા. જુઓ શું કહ્યું.
Published On - 2:58 pm, Fri, 19 January 24