Gujarat Election 202: બનાસકાંઠામાં કોંગ્રેસને ઝટકો, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત 250 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

ચૂંટણી સમયે જ બનાસકાંઠામાં કોંગ્રેસને ઝટકો મળ્યો છે. દિયોદરમાં ભરતસિંહ વાઘેલાને ટિકિટ ન મળતા જાગીરદાર સમાજના યુવાનો નારાજ થયા છે અને 250 જેટલા કોંગ્રેસના કાર્યકર્તા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2022 | 10:28 PM

ગુજરાત ચૂંટણી સમયે ફરી કોંગ્રેસને એક ઝટકો લાગ્યો છે. હવે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને નારાજ જાગીરદાર સમાજના કેટલાક આગેવાનોએ કોંગ્રેસને અલવિદા કહી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. આ નારાજગી અને રાજીનામા પાછળ જવાબદાર છે જિલ્લાની દિયોદર બેઠક. હકિકતમાં દિયોદર બેઠક પરથી જિલ્લો કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ ટિકિટ માગી હતી. પણ હજુ તો કોંગ્રેસ નામ જાહેર કરે તે પહેલા જ કોંગ્રેસના ઉમેદવાર શિવા ભુરિયાએ ઉમેદવારી નોંધાવી દીધી હતી. ત્યારે ભરતસિંહ વાઘેલાની ટિકિટ કપાતા જાગીરદાર સમાજ નારાજ થયો અને આજે 200થી વધુ યુવાનોએ હાથનો સાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ભાજપના કેશાજી ચૌહાણને વિજયી બનાવવા જાગીરદાર સમાજને અપીલ

જાગીદાર સમાજના અગ્રણી ઉત્તમસિંહ વાઘેલાના જણાવ્યા મુજબ દિયોદર તાલુકાનો સમગ્ર જાગીરદાર સમાજના અંદાજિત 200થી 250 યુવા કાર્યકરો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. કેશાજીના સમર્થનમાં ભાજપમાં જોડાયા છે. વધુમાં તેમણે જણાવ્યુ કે દિયોદરના રાજવી લક્ષ્મણસિંહે જાગીરદાર, રાજપૂત સમાજને આહ્વાન કર્યુ છે કે દિયોદર વિધાનસભા બેઠક પર કેશાજી ચૌહાણને જંગી બહુમતી સાથે જીતાડવા. તેના માટે મોટી સંખ્યામાં કેશાજીના સમર્થનમાં મતદાન કરવુ.

ગુજરાત ચૂંટણી 2022: દિયોદરથી ભરતસિંહ વાઘેલાની ટિકિટ કપાતા નારાજગી સામે આવી

દિયોદરમાં ભરતસિંહ વાઘેલાની ટિકિટ કપાતા જાગીરદાર સમાજની નારાજગી હવે ખુલીને સામે આવી અને 250 કાર્યકર્તાઓએ ભાજપમાં સામેલ થઈ ગયા છે અને કેશાજી ચૌહાણને વિજયી બનાવવા સમાજને અપીલ કરી છે.

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">