મોવડીના મતની ઐસી તૈસી : ચૂંટણી મુદ્દે બે ભાગમાં વહેંચાઈ કોંગ્રેસ, ટિકિટની લડતનું સુરસુરિયું થાય તો નવાઈ નહીં

ભરૂચ : INDIA ગઠબંધનમાં ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જવાનો અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ સહીત કોંગ્રેસના અગ્રણીઓના વિરોધ વચ્ચે એક જૂથે ચૈતર વસાવાને સમર્થન જાહેર કરી દીધું છે. મુમતાઝ પટેલના નિર્ણય પર ફેરવિચારણા માટે દિલ્લી સુધી લડતનું આ પરિસ્થિતિ બાદ સુરસુરિયું થાય તો નવાઈ નહીં!!!

| Updated on: Feb 29, 2024 | 12:35 PM

ભરૂચ : INDIA ગઠબંધનમાં ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે જવાનો અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ સહીત કોંગ્રેસના અગ્રણીઓની નારાજગી વચ્ચે એક જૂથે ચૈતર વસાવાને સમર્થન જાહેર કરી દીધું છે. મુમતાઝ પટેલની ગઠબંધનના નિર્ણય પર ફેરવિચારણા માટે દિલ્લી સુધીની લડતનું આ પરિસ્થિતિ બાદ સુરસુરિયું થાય તો નવાઈ નહીં!!!

અંકલેશ્વર – હાંસોટ યુવા કોંગ્રેસ પ્રમુખનો પત્ર વાયરલ થયો

એક તરફ કોંગ્રેસના નારાજ નેતાઓએ કોંગ્રેસના બેનર હેઠળ ઉમેદવારી ન કરવાને લઈ મોરચો માંડ્યો છે તો બીજી તરફ ચૈતર વસાવાના સમર્થનમાં નેતાઓ સામે આવી રહ્યા છે. અંકલેશ્વર – હાંસોટ યુવા કોંગ્રેસ પ્રમુખ શરીફ કાનુગાનો 27 ફેબ્રુઆરીએ લખેલો એક પત્ર વાયરલ થયો છે. આ પત્ર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને “સમર્થન પત્ર”તરીકે લખાયો છે.

પત્ર અનુસાર શરીફ કાનુગાએ ચૈતર વસાવાને ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર તરીકે ખુલ્લું સમર્થન અને ટેકો જાહેર કરવાનો ઉલ્લેખ કર્યો છે. આ પત્ર વાયરલ થયો છે. જોકે ત્યાર બાદ શરીફ મીડિયાથી અંતર બનાવી રહયા છે.

ચૈતર વસાવાને જંગી બહુમતીથી જીતાડવા વિજયસિંહ પટેલે હાંકલ કરી

હાંસોટના મતદારો પર સારું વર્ચસ્વ ધરાવતા ગત ટર્મના અંકલેશ્વર બેઠકના કોંગી ઉમેદવાર વિજયસિંહ  પટેલ પણ ચૈતર વસાવા સાથે એક મંચ પર નજરે પડ્યા હતા. વિજયસિંહે સ્થાનિકોને સંબોધતા ચૈતર વસાવાને જંગી બહુમતીથી જીતાડવા હાંકલ કરી હતી.

બે અલગ – અલગ વિચારધારામાં વહેંચાઈ કોંગ્રેસ?

એક તરફ મુમતાઝ પટેલ સહીત કોંગ્રેસના કાર્યકરો ભરૂચ બેઠક પર કોંગ્રેસને ઉમેદવારીઉ કરવાની તક ન મળવાથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના નિર્ણયને સ્વીકારી આમ આદમી પાર્ટીને સપોર્ટ કરતા નેતાઓ પણ સામે આવ્યા છે. આ સ્થિતિમાં ભરૂચ કોંગ્રેસ બે અલગ -અલગ વિચારધારામાં વહેંચાઈ હોય તેમ લાગી રહ્યું છે.

એક દિવસ અગાઉ કોંગ્રેસના નારાજ નેતાઓના જૂથે કોંગ્રેસના સિમ્બોલ હેઠળ ઉમેદવારી ન કરાય તો આશ્ચર્યનજક પરિણામનો સામનો કરવાની ચીમકી પણ આપી છે અને મુમતાઝ પટેલે દિલ્લીમાં ધામા નાખી નિર્ણયની ફેરવિચારણા માટે જોર લગાવ્યું છે ત્યારે આ મહેનત સામે કેટલાક અગ્રણીઓ આમ આદમી પાર્ટીને ટિકિટ મળવાના સમર્થનમાં ચૈતર વસાવાને ટેકો જાહેર કરતા બે ફાંટા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">