પોલીસની નોકરી દરમ્યાન સતત વ્યસ્તતા ભોગવી ચૂકવેલા અધિકારીઓ નિવૃત્તિ પછી પણ પ્રવૃત્ત રહેવા માંગતા હોય છે. નિવૃત્તિ પછી ની પ્રવૃત્તિ માટે પ્રાથમિક શાળાના બાળકોના ઉદ્ધાર અને તેઓના ઉચ્ચ શિક્ષણ માટેની જવાબદારી ઉઠાવી છે નિવૃત્ત પોલીસ અધિકારીઓ એ. શાહીબાગ પોલીસ લાઇન માં આવેલી પ્રાથમિક શાળા રિટાયર્ડ પોલીસ ઓફિસર્સ દ્વારા દત્તક લેવામાં આવી છે.
આ શાળા ના બાળકો ના પરિવારોની આર્થિક સ્થિતિ નબળી હોય બાળકોને યુનિફોર્મ સહિતની ચીજ વસ્તુઓના વિતરણ માટે નો કાર્યક્રમ શાળા ખાતે યોજાયો હતો, જેમાં એસોસિયેશન સાથે સંકળાયેલ નિવૃત DGP એસ એસ ખંડવાવાલા ADGP, IGP અને DYSP કક્ષાના નિવૃત્ત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Published On - 4:22 pm, Sun, 21 July 24