અમદાવાદ શહેરમાં અકસ્માતોની વણઝાર સતત જારી રહી છે. શહેરમાં ગાંધી આશ્રમ નજીક એક કારનો અકસ્માત સામે આવ્યો છે. અકસ્માતમાં માનવામાં આવી રહ્યું છે કે, કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર પલટી ખાઈને વીજ પોલ સાથે અથડાઈ હતી. સદનસીબે કોઈને ઈજા નહીં પહોંચતા રાહત સર્જાઈ હતી.
ગાંધી આશ્રમ નજીકના માર્ગ પર ટ્રાફિક ખૂબ રહેતો હોય છે, આ દરમિયાન કાર અન્ય કોઈ મોપેડ કે વાહનને અડફેટે નહીં લેતા મોટી ઘાત ટળી હતી. તો વળી કાર વીજ પોલ સાથે અથડાઈને પલટી ખાઈ જવા પામી હતી. જોકે રાહતની વાત એ છે કે, કારનો ચાલક પણ હેમખેમ રહ્યો હતો. ઘટનાને લઈ પોલીસ દ્વારા હવે અકસ્માતના સ્પષ્ટ કારણને જાણવા માટે તપાસ હાથ ધરાશે.
Published On - 10:06 am, Fri, 12 July 24