Breaking News : રાજ્યમાં ફરી માવઠાંની મોકાણ ! 3 વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય

| Updated on: Mar 26, 2026 | 6:19 PM

હવામાન વિભાગે અગાઉ 28 માર્ચ બાદ માવઠાંની આગાહી વ્યક્ત કરી હતી. તે પ્રમાણે હવે 29 અને 30 તારીખે કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે. હળવા વરસાદ સાથે ગાજવીજ પણ થઈ શકે છે.. 29 માર્ચે કચ્છ અને બનાસકાંઠામાં કમોસમી વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગે અગાઉ કરેલી આગાહી મુજબ રાજ્યમાં ફરી એકવાર માવઠાંની સંભાવનાઓ વધતી દેખાઈ રહી છે. 28 માર્ચ બાદ હવામાનમાં પલટો આવશે તેવી આગાહી વચ્ચે હવે 29 અને 30 માર્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ખાસ કરીને કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

29 માર્ચના રોજ કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં માવઠું થવાની સંભાવના છે. આ દરમિયાન આકાશમાં ઘેરા વાદળો છવાઈ શકે છે અને કેટલીક જગ્યાએ વીજળી સાથે હળવો વરસાદ પડી શકે છે. ખેડૂતો માટે આ પરિસ્થિતિ ચિંતાજનક બની શકે છે કારણ કે આ સમયગાળા દરમિયાન પાકને નુકસાન થવાની શક્યતા રહે છે.

આગળ વધતા 30 માર્ચના દિવસે માવઠાનો વ્યાપ વધુ વિસ્તરશે. કચ્છ, બનાસકાંઠા ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે, જેના કારણે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી શકે છે.

દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. 28 અને 29 માર્ચ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયામાં પવનની ઝડપ વધવાની શક્યતા હોવાથી માછીમારો માટે આ સમયગાળો જોખમી સાબિત થઈ શકે છે.

રાજ્યમાં ગરમીનો પ્રભાવ યથાવત છે. તાજેતરમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આવનારા દિવસોમાં માવઠાંના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ હવામાનમાં અચાનક ફેરફારને કારણે લોકોને સાવચેત રહેવાની જરૂર છે.

આ પણ વાંચો: Stock Market: Buy, Hold કે Sell…? આ બેન્કના શેરને લઈને રોકાણકારોએ હવે આગળ શું કરવું? તાજેતરના પરિણામો બાદ દલાલ સ્ટ્રીટમાં હલચલ

Follow Us