રાજ્યના 4 કરોડથી વધુ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. જામનગરમાં રાજ્યપ્રધાન રિવાબા જાડેજાએ મતદાન કર્યું.જામનગરમાં રિવાબાએ વોર્ડનંબર-5માં મતદાન કર્યું છે.આ સાથે રિવાબાએ મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.
મનપામાં ફરી ભાજપનું શાસન આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.લોકશાહીના પર્વમાં મે મતદાન કરી મારી ફરજ નિભાવી છે. જામનગરના લોકોને અપીલ કરું છું કે,મતદાન કરો. લોકશાહીનો આજનો દિવસ આપણા બધા માટે ખાસ છે. જિલ્લા વહીવટી તંત્ર,પ્રશાસન તેમજ ચૂંટણી પંચનો આભાર માનું છું.આપણે મતદાન આપી આપણી ફરજ પૂર્ણ કરવી જોઈએ.
રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા એક ભારતીય રાજકારણી અને રાજ્ય મંત્રી છે. તેઓ 8 ડિસેમ્બર 2022 ના રોજ ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજકારણી તરીકે જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતના મંત્રીમંડળમાં થયેલા મોટા ફેરબદલમાં રીવાબાને જુનિયર મંત્રી (MoS) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.2016માં તેમણે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા છે. તેમને નિધ્યાના જાડેજા નામની પુત્રી છે.