AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરાના ડભોઇ તાલુકાના ભાલોદરા ગામે ઓરસંગ નદીમાં પૂર આવતા શાળાની છત થઈ ધરાશાયી

ઓરસંગ નદીમાં આવેલા પૂરને કારણે ડભોઈ તાલુકના ભાલોદરા ગામમાં શાળાની છત ધરાશાઈ થઈ ગઈ છે. ભાલોદર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5ના બાળકો અભ્યાસ કરે છે. ગઈકાલે સાંજે 7 કલાકે દિવાલ ધરાશાઈ થવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 8:07 AM
Share

Vadodara : છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ઉપરવાસમાં વરસાદને કારણે વડોદરાની ઓરસંગ નદીમાં (Orsang river) પૂર આવ્યું છે. ઓરસંગ નદીમાં આવેલા પૂરને કારણે ડભોઈ તાલુકાના ભાલોદરા ગામમાં શાળાની છત ધરાશાઈ થઈ ગઈ છે. ભાલોદર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5ના બાળકો અભ્યાસ કરે છે. ગઈકાલે સાંજે 7 કલાકે દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

વડોદરાના ચાંદોદ, કરનારી અને નંદેરિયામાં નર્મદા નદીના પાણી ફરી વળતા ભારે નુકસાન થયું છે. ત્યારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસર્યા બાદ તંત્રએ સર્વેની કામગીરી શરૂ કરી છે. ચાંદોદ કરનાળી અને નંદેરીયામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં તંત્રની ટીમ ડોર ટુ ટોર સર્વે કરી નુકસાનીનો તાગ મેળવી રહી છે.

આ પણ વાંચો Vadodara Rain Video : નર્મદાના પાણીએ તીર્થધામ ચાંદોદમાં વિનાશ વેર્યો, પાણી છોડવાની માહિતી ન અપાઈ હોવાનો આક્ષેપ

ટુંક સમયમાં જ લોકોને સહાય મળે તેવું આયોજન કરાયું છે. સર્વેના બેથી ત્રણ દિવસમાં જ લોકોને સહાય મળી જાય તેવું આયોજન કરાયું છે. તો જિલ્લા કલેક્ટરે પણ અસગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું. સાથે જ અસરગ્રસ્ત લોકોને મહત્તમ વળતર મળે તેવા પ્રયાસ કરાશે તેવી કલેક્ટરે ખાતરી આપી છે.

વડોદરાના પાદરા વિસ્તારમાંથી પસાર થતી મહિસાગર નદીમાં જળસ્તર વધ્યુ હતા. વડોદરા નજીક આવેલ મુજપુર બ્રિજને પણ બંધ કરવામા આવ્યો હતો. બ્રિજને બેરીકેડ લગાવીને બંધ કરી દેવામાં આવ્યો હતો. અવર જવર બંધ કરવાને લઈ બ્રિજથી પસાર થતા વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">