AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News:  વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો, 8 મહિનામાં તાવના 45 હજાર કેસ, જુઓ Video

Breaking News: વરસાદે ઘણા સમયથી વિરામ લીધો હોવા છતા ગુજરાતમાં રોગચાળો વકર્યો, 8 મહિનામાં તાવના 45 હજાર કેસ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2026 | 11:11 AM
Share

ચોમાસા દરમિયાન વરસાદનું પ્રમાણ ઓછું રહેવા છતાં ગુજરાતમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. રાજ્યમાં છેલ્લા 8 મહિનામાં સ્નાયુ-સાંધાના દુખાવા સહિત તાવના આશરે 45 હજાર કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ફિવર સહિતના કેસમાં વધારો થતાં આરોગ્ય તંત્ર માટે ચિંતા વધી છે.

ચોમાસા દરમિયાન વરસાદનું પ્રમાણ ઓછું રહેવા છતાં ગુજરાતમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. રાજ્યમાં છેલ્લા 8 મહિનામાં સ્નાયુ-સાંધાના દુખાવા સહિત તાવના આશરે 45 હજાર કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ફિવર સહિતના કેસમાં વધારો થતાં આરોગ્ય તંત્ર માટે ચિંતા વધી છે.

મેડિકલ ઈમરજન્સીના કેસમાં 9.18 ટકાનો વધારો

રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ મેડિકલ ઈમરજન્સીના કેસમાં 9.18 ટકાનો વધારો નોંધાયો છે. વિવિધ પ્રકારના તાવ અને ચોમાસા દરમિયાન ફેલાતા રોગોના કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને તાવ સાથે સ્નાયુ અને સાંધાના દુખાવાની ફરિયાદો ધરાવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે.

અમદાવાદમાં 108 મારફતે 10 હજાર દર્દીઓને સારવાર

અમદાવાદ શહેરમાં છેલ્લા 8 મહિનામાં ભારે તાવના કારણે 108 એમ્બ્યુલન્સ સેવા મારફતે આશરે 10 હજાર દર્દીઓને વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. તાવની ગંભીરતા ધરાવતા દર્દીઓને સમયસર હોસ્પિટલ પહોંચાડી સારવાર આપવામાં આવી રહી છે.

સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં 630થી વધુ દર્દી

અમદાવાદની અસારવા સ્થિત સિવિલ હોસ્પિટલમાં પણ છેલ્લા એક મહિનામાં ભારે તાવ સહિત વાયરલ ફિવરની ફરિયાદ સાથે 630થી વધુ દર્દીઓ સારવાર માટે પહોંચ્યા છે. ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના 90થી વધુ દર્દીઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે.

સાત દિવસમાં 22 હજાર દર્દીઓની ઓપીડી

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માત્ર સાત દિવસની ઓપીડી દરમિયાન આશરે 22 હજાર દર્દીઓને સારવાર આપવામાં આવી છે. મોટી સંખ્યામાં દર્દીઓ તાવ, વાયરલ ફિવર અને અન્ય ચોમાસુજન્ય બીમારીઓની ફરિયાદ સાથે હોસ્પિટલ પહોંચી રહ્યા છે.

ડેન્ગ્યુ-મેલેરિયાથી સાવચેતી જરૂરી

ચોમાસા દરમિયાન પાણી ભરાવા અને મચ્છરોના ઉપદ્રવને કારણે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગોનું જોખમ વધે છે. રાજ્યમાં તાવના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો હોવાથી નાગરિકોને મચ્છરજન્ય રોગોથી બચવા સાવચેતી રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે.

આ પણ વાંચો- Breaking News: અમદાવાદમાં રિક્ષાચાલકોની હડતાળનો બીજો દિવસ, મુસાફરોની હેરાનગતિ રોકવા પોલીસ પોઈન્ટ ગોઠવાયા, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">