સોશિયલ મીડિયા પર ભાજપે અગાઉ જાહેર કરેલા ઉમેદવાર ભીખાજી ઠાકોર ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાવા જઇ રહ્યા છે એવી અફવા શરુ થઇ હતી. આ માટે કેટલાક લોકોએ આવા લખાણ લખીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. જેને લઈ આખરે ભીખાજી ઠાકોરે જ આગળ આવીને ખુલાસો કર્યો છે.
ભીખાજીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને કહ્યુ છે કે, હું ભાજપ છોડીને કોઇ પણ અન્ય પક્ષમાં જોડાવવાનો નથી. કોઇ બીજા પક્ષમાં જોડાવવાની વાત માત્ર અફવા જ સમજવી. આમ ભીખાજીએ અફવાઓનું ખંડન કરતી પોસ્ટ શેર કરી હતી. તેઓ અગાઉ પણ કહી ચૂક્યા હતા કે, તેઓ ભાજપના ઉમેદવારની સાથે છે.
Published On - 10:33 am, Tue, 26 March 24