ભરૂચ : ભાજપા કાર્યકરો દ્વારા આસ્થા ટ્રેનનું ભવ્ય સ્વાગત કરાયું, રામ ભક્તોને યાત્રા માટે શુભકામના પાઠવવામાં આવી, જુઓ વીડિયો

|

Feb 10, 2024 | 8:35 AM

ભરૂચ : ગુજરાતમાંથી રામભક્તો ભગવાન શ્રીરામના દર્શન કરી શકે તે માટે આસ્થા ટ્રેન શરૂ કરાઇ છે. વડોદરાથી અયોધ્યા ધામ જતી આસ્થા ટ્રેન પ્રસ્થાન થઈ હતી. ભરૂચ રેલવે સ્ટેશને આસ્થા ટ્રેન આવી પોહચતા તેના ભવ્ય સ્વાગત સાથે રામ ભક્તોને મંગલમય યાત્રાની શુભકામનાઓ પાઠવવા આવી હતી

ભરૂચ : ગુજરાતમાંથી રામભક્તો ભગવાન શ્રીરામના દર્શન કરી શકે તે માટે આસ્થા ટ્રેન શરૂ કરાઇ છે. વડોદરાથી અયોધ્યા ધામ જતી આસ્થા ટ્રેન પ્રસ્થાન થઈ હતી. ભરૂચ રેલવે સ્ટેશને આસ્થા ટ્રેન આવી પોહચતા તેના ભવ્ય સ્વાગત સાથે રામ ભક્તોને મંગલમય યાત્રાની શુભકામનાઓ પાઠવવા આવી હતી

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ અને ફતેસંગ ગોહિલ સહિત આગેવાનો, હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. આસ્થા ટ્રેનનું ભરૂચ સ્ટેશન પર આગમન થતા જ સ્ટેશન પરિસર જય શ્રીરામના ગગન ભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. રામભક્તોનું ભવ્ય સ્વાગત અને અભિવાદન કરી યાત્રા મંગલમય રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

 ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video